VIDEO: ગુજરાત સરકારના ટ્રાફિક નિયમને લઈને 3 મહત્વપૂર્ણ નિર્ણય, જાણો નિયમોમાં શું થશે ફેરફાર
ગુજરાત સરકારે ત્રણ મોટા નિર્ણય લીધા છે. જેમાં ચેકપોસ્ટ નાબૂદ કરવાનો નિર્ણય, ITIમાંથી લાયસન્સ કઢાવવું અને ઓનલાઈન સેવાઓમાં વધુ 7 સેવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. ત્યારે ચેકપોસ્ટ નાબૂદ કરવાથી વેપાર-ઉદ્યોગમાં ‘ઈઝ ઓફ ડુઈંગ’ બિઝનેસને ઉત્તેજન મળશે, વાહન વ્યવહારની ઝડપ વધશે અને ઈંધણ અને સમયના બગાડમાં ઘટાડો થશે તથા વાહનમાલિકો, ટ્રાન્સપોર્ટરો કર અને ફી ઓનલાઈન ચૂકવી […]
ગુજરાત સરકારે ત્રણ મોટા નિર્ણય લીધા છે. જેમાં ચેકપોસ્ટ નાબૂદ કરવાનો નિર્ણય, ITIમાંથી લાયસન્સ કઢાવવું અને ઓનલાઈન સેવાઓમાં વધુ 7 સેવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. ત્યારે ચેકપોસ્ટ નાબૂદ કરવાથી વેપાર-ઉદ્યોગમાં ‘ઈઝ ઓફ ડુઈંગ’ બિઝનેસને ઉત્તેજન મળશે, વાહન વ્યવહારની ઝડપ વધશે અને ઈંધણ અને સમયના બગાડમાં ઘટાડો થશે તથા વાહનમાલિકો, ટ્રાન્સપોર્ટરો કર અને ફી ઓનલાઈન ચૂકવી શકશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ટ્રાફિકના નવા નિયમ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણની જાહેરાતો
1. 25 નવેમ્બરથી રાજ્યની 16 ચેકપોસ્ટ નાબૂદ કરાશે. 2. ચેકપોસ્ટ પર કર અને ફી વસૂલવાની કામગીરી બંધ થશે. 3. વાહન માલિકો, ટ્રાન્સપોર્ટરો કર અને ફીની ચૂકવણી ઓનલાઈન કરી શકશે. 4. ચેકપોસ્ટની આવક રૂપિયા 332 કરોડ હતી જે ઓનલાઈન સ્વીકારાશે.
5. સરકારના નિર્ણયથી ટ્રાફિક અને પ્રદૂષણ ઘટશે. 6. ધંધા અને રોજગારમાં વધારો થશે. 7. 221 ITIમાંથી કાચું લાયસન્સ મેળવી શકાશે. 8. કાચા લાયસન્સની કામગીરી 15 નવેમ્બરથી શરૂ થશે.
ત્યારે વાહન માલિકોને ફરિયાદ કરવા માટે બે હેલ્પ લાઈન નંબર આપવામાં આવ્યા છે. 1. 07923257808 2. 07923251369
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો