CM વિજય રૂપાણીનો હુંકાર, પારદર્શક સરકારમાં નહીં ચલાવી લેવાઈ ભ્રષ્ટાચાર
વિપક્ષ દ્વારા લગાવાતા ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફેસબુક પર એક વીડિયો શેર કર્યો છે. CM રૂપાણીએ વીડિયોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. તેમણે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓને સીધી ચિમકી આપી છે. તેમણે કહ્યું હતું કે પારદર્શકતા જ સરકારની ઓળખ રહેશે. મુખ્યપ્રધાન રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે સરકાર ભ્રષ્ટાચાર પર અંકુશ માટે પ્રતિબદ્ધ છે. સરકારે […]
વિપક્ષ દ્વારા લગાવાતા ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફેસબુક પર એક વીડિયો શેર કર્યો છે. CM રૂપાણીએ વીડિયોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. તેમણે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓને સીધી ચિમકી આપી છે. તેમણે કહ્યું હતું કે પારદર્શકતા જ સરકારની ઓળખ રહેશે. મુખ્યપ્રધાન રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે સરકાર ભ્રષ્ટાચાર પર અંકુશ માટે પ્રતિબદ્ધ છે. સરકારે ભ્રષ્ટાચાર નિરોધક તંત્ર મજબૂત બનાવ્યું છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ફેસબુક પર વીડિયો શેર કરીને અધિકારીઓને સીધી જ ભાષામાં સંભળાવી દીધું છે. ભ્રષ્ટાચાર સામે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંદેશ આપી દીધો કે રાજ્યમાં ભ્રષ્ટાચારને કોઈપણ ભોગે સાખી લેવાશે નહીં.