આખરે ગુજરાત સરકારની કબુલાત, 52000 દર્દીઓ ઓક્સિજન ઉપર, 108માં આવનારાને જ અપાય છે સરકારી કવોટાના બેડ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને 162 ખાનગી પરંતુ કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલોમાં જે કોઈ કોરોનાના ( corona ) દર્દી 108માં સારવાર માટે આવે તેમને જ સરકારી કવોટાના બેડ ફાળવવામાં આવી રહ્યાં છે.

આખરે ગુજરાત સરકારની કબુલાત, 52000 દર્દીઓ ઓક્સિજન ઉપર, 108માં આવનારાને જ અપાય છે સરકારી કવોટાના બેડ
આખરે ગુજરાત સરકારની કબુલાત, 52000 દર્દીઓ ઓક્સિજન ઉપર, 108માં આવનારાને જ અપાય છે સરકારી કવોટાના બેડ
Follow Us:
| Updated on: Apr 27, 2021 | 11:41 AM

ગુજરાત સરકારે આખરે ગુજરાત હાઈકોર્ટ ( Gujarat High Court ) સમક્ષ કબુલાત કરી છે કે, ગુજરાતમાં સારવાર લઈ રહેલા કોરોનાના ( corona ) તમામ દર્દીઓ પૈકી 52000 દર્દીઓની ઓક્સિજન સપોર્ટ ઉપર સારવાર ચાલી રહી છે. ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલ સુઓમોટો રીટ સંદર્ભે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ કરીને આ વિગતો જાહેર કરી છે.

ગુજરાત હાઈકોર્ટે, કોરોનાની કપરી સ્થિતિમાં સરકાર તરફથી કરાયેલ વ્યવસ્થાઓને લઈને સુઓમોટો રીટ દાખલ કરી છે. સુઓમોટો રીટમાં ગુજરાત હાઈકોર્ટે, ઓક્સિજનની અછત, રેમડેસિવીર ઈન્જકેશનની અછત, હોસ્પિટલોમાં બેડની અછત, 108નુ કેન્દ્રીયકરણ વગેરે મુદ્દે સરકારને અનેક સવાલો પુછ્યા હતા. અને કેટલાક નિર્દેશો પણ કર્યા હતા.

ગુજરાત હાઈકોર્ટે કરેલ સવાલો સંદર્ભે ગુજરાત સરકારે કરેલ સોગંદનામામાં ઉલ્લેખ કર્યો છે કે જે કોઈ દર્દીઓ 108માં આવે તેમને જ સરકારી કવોટોના બેડ અંતર્ગત સારવાર આપવામાં આવી રહી છે. અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને 162 ખાનગી પરંતુ કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલોમાં જે કોઈ દર્દી 108માં સારવાર માટે આવે તેમને જ સરકારી કવોટાના બેડ ફાળવવામાં આવી રહ્યાં છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ગુજરાતમાં પહેલી એપ્રિલથી 2 એપ્રિલ સુધીના 23 દિવસમા જ 33 લાખ 62 હજાર કોરોનાના ટેસ્ટીગ કરાયા છે. જેમાં 13 લાખ 14 હજાર 262 ટેસ્ટીગ RT-PCR ટેસ્ટ છે. કેન્દ્ર સરકાર પાસે રેમડેસિવીર ઈન્જેકશનનો જથ્થો માંગ્યો હોવાનું પણ સોગંદનામામાં જણાવ્યુ છે. હોસ્પિટલની બહાર દર્દીને લઈને ઊભેલી 108 વાનમાં દર્દીની સારવાર તબીબ કરતા હોવાનું પણ સોગંદનામામાં જણાવ્યુ છે.

ગુજરાત સરકારે કરેલા સોગંદનામા આધારિત ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો રીટમાં સુનાવણી હાથ ધરાશે. જેમાં ગુજરાત સરકારે કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર મળી રહી હોવાનો ઉલ્લેખ કર્યો છે. જો કે ગુજરાત હાઈકોર્ટે કોરોનાને નિયંત્રણમાં લેવા માટે સુચવેલા લોકડાઉન અથવા નિયમો વધુ કડક કરવા સંદર્ભે ટકોર છતા, સોગંદનામામાં કોઈ ઉલ્લેખ નથી. ગુજરાત સરકારે પોતાની એફિડેવીટમાં ઈન્જેકશન મળી રહેતા હોવાનુ જણાવ્યુ છે. કોરોનાની સારવાર લેતા દર્દીઓમાંથી 52 હજારથી વધુ દર્દીઓ ઓક્સિજનની જરૂરીયાત વાળા હોવાનું કબુલ્યુ છે. જેને લઈને ઓક્સિજન પ્લાન્ટને લઈને એફિડેવીટમાં સરકારે ઉલ્લેખ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટમાં ( Gujarat High Court ) ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે, કોરોનાની ( corona ) ગંભીર સ્થિતિ અંગેની સુઓમોટો રીટની ( Suomoto writ ) સુનાવણી કરે છે. આજે પણ સુઓમોટો રીટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">