સરકારી શિક્ષકો પર નજર રાખવા નવો કીમિયો, લોકેશન અને કામકાજ વિશે આ રીતે જાણકારી મેળવશે સરકાર
શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવા માટે અને કારણ વગર સ્કુલમાંથી ગાયબ શિક્ષકો પર નજર રાખવા માટે ગુજરાત સરકારે નવી રીત અપનાવી છે. રાજ્ય સરકારે શિક્ષકો પર નજર રાખવા માટે કોલ સેન્ટર બનાવ્યું છે. આ કોલ સેન્ટરથી રોજ શિક્ષકોને ફોન કરવામાં આવશે અને તેમને તેમના લોકેશન અને કામકાજ સંબંધિત પ્રશ્નોના જવાબ માગવામાં આવશે. ત્યારે હવે કોઈ પણ […]
શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવા માટે અને કારણ વગર સ્કુલમાંથી ગાયબ શિક્ષકો પર નજર રાખવા માટે ગુજરાત સરકારે નવી રીત અપનાવી છે. રાજ્ય સરકારે શિક્ષકો પર નજર રાખવા માટે કોલ સેન્ટર બનાવ્યું છે. આ કોલ સેન્ટરથી રોજ શિક્ષકોને ફોન કરવામાં આવશે અને તેમને તેમના લોકેશન અને કામકાજ સંબંધિત પ્રશ્નોના જવાબ માગવામાં આવશે.
ત્યારે હવે કોઈ પણ શિક્ષક રજા પર જશે તો તેમને પૂરી જાણકારી આપવી પડશે. જો તે રજા લેશે તો કોલ સેન્ટરમાં બેઠેલા પ્રતિનિધી પુરી જાણકારી પણ માગી શકે છે. જેવી કે કેટલા દિવસની રજા પર છે અને કોની અનુમતિથી રજા લીધી છે.
સરકાર તરફથી લાગૂ કરેલા આ રિયલ ટાઈમ સર્વિલાન્સ પ્લાનથી સરકારી સ્કુલોના 1.95 લાખ શિક્ષકો પર નજર રાખવામાં આવશે. આ વ્યવસ્થા 10 જૂન પછી નવા શૈક્ષણિક સત્રમાં શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: લોક્સભા ચૂંટણીના પરિણામો પહેલા જ મુલાયમ-અખિલેશના આવી ગયા ‘અચ્છે દિન’!
નવી રીતે કામકાજ અને કોલ સેન્ટરને લઈને અધિકારીઓએ જણાવ્યું કે ઘણા રિપોર્ટસ પર વિચાર કર્યા પછી આ વ્યવસ્થા લાગૂ કરવામાં આવી છે. અધિકારીઓને આ વાતની જાણકારી મળી રહી હતી કે શૈક્ષણિક કાર્ય દરમિયાન સરકારી શિક્ષક કોઈ સુચના વગર ગાયબ થઈ જતા હતા. શિક્ષકોના આ કારણે બાળકોના શિક્ષણ પર પણ ખુબ અસર પડી રહી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]