CM વિજય રૂપાણીના હસ્તે કરૂણા અભિયાન 2020નો પ્રારંભ, પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને મળશે સારવાર
રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વનો માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદમાં વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર ખાતે પક્ષીઓને સારવાર માટે કરૂણા અભિયાન 2020નું આયોજન કરાયું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરૂણા અભિયાન 2020નો પ્રારંભ કરાવ્યો હતો. પક્ષીઓની સાર સંભાળ અને ઈમરજન્સીને પહોંચી વળવા માટે કરૂણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી […]
રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વનો માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદમાં વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર ખાતે પક્ષીઓને સારવાર માટે કરૂણા અભિયાન 2020નું આયોજન કરાયું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરૂણા અભિયાન 2020નો પ્રારંભ કરાવ્યો હતો. પક્ષીઓની સાર સંભાળ અને ઈમરજન્સીને પહોંચી વળવા માટે કરૂણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેથી ઘવાયેલા પક્ષીને ત્વરિત સારવાર આપવામાં આવશે અને 5 હજારથી વધુ સરકારી કર્મચારીઓ ખડેપગે રહેશે સાથે જ સમગ્ર રાજ્યમાં પક્ષીઓને સારવાર આપવા માટે દવાખાના ઉભા કરવામાં આવ્યા છે.
બીજી તરફ ચાઈનીઝ દોરીના થતાં ઓનલાઈન વેચાણ સામે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કાર્યવાહીના સંકેત આપ્યા છે. ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ બાદ ઓનલાઈન ખરીદ વેચાણ અંગે મુખ્યપ્રધાને જાણાવ્યું કે એ માટે સૂચનાઓ આપી દીધી છે. ચાઈનીઝ દોરીના વેચાણ, સંગ્રહ, બનાવવા પર સરકારે પ્રતિબંધોનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરેલું છે. ચાઈનીઝ દોરીના વેચાણ સામે કડક કલમો લગાડવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો