ખેડૂતો માટે સારા સમાચાર, 21 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની શરૂ થશે ખરીદી
રાજ્ય સરકાર 21 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે. ગુજરાત સરકાર આગામી 21 ઓક્ટોબરથી મગફળીની પ્રતિમણ રૂ.1055ના ટેકાના ભાવે ખરીદી કરશે. આ અંગે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે, આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરીને આગામી 21 ઓક્ટોબર 2020થી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે 1 […]
રાજ્ય સરકાર 21 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે. ગુજરાત સરકાર આગામી 21 ઓક્ટોબરથી મગફળીની પ્રતિમણ રૂ.1055ના ટેકાના ભાવે ખરીદી કરશે. આ અંગે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે, આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરીને આગામી 21 ઓક્ટોબર 2020થી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે 1 ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે અને 20 દિવસ રજિસ્ટ્રેશન ચાલુ રહેશે. ત્યારબાદ 21મી ઓકટોબરથી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. ખરીદીની પ્રક્રિયા રાજ્યમાં 90 દિવસ સુધી ચાલશે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ નાફેડ એજન્સી દ્વારા ખરીદી કરાશે. આ માટે ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ નોડલ એજન્સી તરીકે નિયત કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટઃ ગેરકાયદે ગર્ભ પરિક્ષણના કૌભાંડનો પર્દાફાશ, હરીઓમ નેચરોથેરાપી સેન્ટરમાં ચાલતું હતું ગર્ભ પરિક્ષણ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો