સુરત અગ્નિકાંડ વખતે જીવના જોખમે માસુમોને બચાવનારા ‘અસલી હીરો’નું કરાયું રાજભવનમાં સન્માન
સુરત અગ્નિકાંડની ઘટનામાં એક વ્યક્તિ તમને વીડિયોમાં જોવા મળ્યો હશે જે પોતાના જીવના જોખમે વિદ્યાર્થીઓને બચાવી રહ્યો હતો. એ યુવક જેનું નામ કેતન ચોરવાડિયા છે તેને ગુજરાતના રાજ્યપાલે સન્માન કરીને બરદાવ્યો છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ […]
સુરત અગ્નિકાંડની ઘટનામાં એક વ્યક્તિ તમને વીડિયોમાં જોવા મળ્યો હશે જે પોતાના જીવના જોખમે વિદ્યાર્થીઓને બચાવી રહ્યો હતો. એ યુવક જેનું નામ કેતન ચોરવાડિયા છે તેને ગુજરાતના રાજ્યપાલે સન્માન કરીને બરદાવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી આગની ઘટનામાં કેતન ચોરવાડિયા પોતાના જીવના જોખમે વિદ્યાર્થીઓને બચાવવા મદદ કરી રહ્યાં હતા. વિદ્યાર્થીઓને બચાવવામાં જેને અદભૂત સાહસ દેખાડ્યું તે કેતન ચોરવાડિયાનું રાજભવન ખાતે વિશેષ સન્માન કરાયું હતું. રાજ્યપાલે પણ કેતનના હિંમતભર્યા કાર્યને બિરદાવ્યું હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
રાજ્યપાલે જણાવ્યું કે ચોરવાડિયાના આવા વિકટ સંજોગોમાં પોતાના જીવની પણ પરવા કર્યા વગર બાળકોને બચાવવા માટે જે માનવતાભરી પહેલ કરી હતી તે સમાજમાં એક પ્રેરક ઉદાહરણ પુરુ પાડે છે. આમ ખુદ રાજ્યપાલ પણ કેતનના કામથી પ્રસન્ન થઈ ગયા અને તેનું સન્માન કર્યું હતું.
સુરતની ઘટનાને વિવિધ મીડિયામાં ખાસ્સી એવી જગ્યા મળી હતી અને કેતનને તેમાં સાચો હીરો બતાવવામાં આવ્યો હતો. કેતનના કામને લઈને સોશિયલ મીડિયામાં લાખો લોકોએ તેમની સરાહના કરી હતી. રાજ્યપાલે પણ આ કેતનના સાહસ વિશે જાણીને તેમને મળવાની અને સન્માન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બાદમાં કેતનનું રાજભવન ખાતે સન્માન કરાયું હતું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]