UAPA કાયદા હેઠળ દાઉદ ઈબ્રાહિમ, મસૂદ અઝહર અને હાફિઝ સઈદ આતંકી જાહેર, રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ
ભારત સરકારે નવા UAPA કાયદા મુજબ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી દેવાનું શરુ કરી દીધું છે. મૌલાના મસૂદ અઝહર, દાઉદ ઈબ્રાહીમ, જાકિર-ઉર-રહમાન લખવી અને હાફિઝ સઈદને આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યા છે. આ 4 આતંકવાદીઓની સામે રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યૂ કરવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]
ભારત સરકારે નવા UAPA કાયદા મુજબ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી દેવાનું શરુ કરી દીધું છે. મૌલાના મસૂદ અઝહર, દાઉદ ઈબ્રાહીમ, જાકિર-ઉર-રહમાન લખવી અને હાફિઝ સઈદને આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યા છે. આ 4 આતંકવાદીઓની સામે રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યૂ કરવામાં આવી છે.
જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરની સામે ભારતમાં 5 આતંકવાદી હુમલાઓને અંજામ આપવાનો આરોપ છે. આ વર્ષે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.
મોદી સરકારે 17મી લોકસભાના સત્રમાં UAPA બિલ રજૂ કર્યું હતું. આ બિલ ભાજપે બંને સદનમાં પાસ કરાવ્યું હતું. પહેલાં એવું હતું કે કોઈ સંસ્થાને આતંકવાદી જાહેર કરી શકાતી પણ વ્યક્તિને આતંકવાદી જાહેર કરવાનું પ્રાવધાન નહોતું. આ બિલ આવ્યા બાદ વ્યક્તિને પણ આતંકવાદી જાહેર કરવાનો અધિકાર ભારતની સરકારને મળ્યો જેના લીધે 4 આતંકવાદીઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભારત સરકાર શંકાના આધારે આ નિયમ અનુસાર કોઈપણ વ્યક્તિની ધરપકડ કરી શકે છે. તેમની જાસૂસી પણ કરી શકે છે. આ વિધેયકને લઈને કોંગ્રેસે ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો. કોંગ્રેસે પ્રાઈવસીના મુદ્દાના આધારે વિરોધ કર્યો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]