કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવશે અને ચૂકવાશે વળતર, જુઓ VIDEO

કૃષિ વિભાગના અગ્રસચિવ પૂનમચંદ પરમારે રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો તેમના પાકવીમાના દાવા માટે આગામી 72 કલાકમાં વીમા કંપની જાણ કરે તેવી જાહેરાત કરી છે. આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કૃષિ વિભાગ અને રાહત કમિશનર કચેરીના અધિકારીઓની એક બેઠક બોલાવી હતી અને કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે ચર્ચા કરી હતી.   Web […]

કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવશે અને ચૂકવાશે વળતર, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 31, 2019 | 9:32 AM

કૃષિ વિભાગના અગ્રસચિવ પૂનમચંદ પરમારે રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો તેમના પાકવીમાના દાવા માટે આગામી 72 કલાકમાં વીમા કંપની જાણ કરે તેવી જાહેરાત કરી છે. આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કૃષિ વિભાગ અને રાહત કમિશનર કચેરીના અધિકારીઓની એક બેઠક બોલાવી હતી અને કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે ચર્ચા કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

બેઠકમાં થયેલી ચર્ચા મુજબ જે ખેડૂતોએ પાક વીમો લીધેલો છે, તેમને સરકારે જાહેર કરેલા વીમાકંપનીના ટોલફ્રી નંબર પર આગામી ત્રણ દિવસમાં પોતાની ફરિયાદ નોંધાવવા માટે અપીલ કરવામાં આવી છે. વીમા કંપની ફરિયાદ મળ્યાના 10 દિવસની અંદર અસરગ્રસ્ત ખેડૂતના નુકસાનનો સરવે કરશે અને સરવે પૂર્ણ થયાના 15 દિવસ બાદ ખેડૂતોને વળતર ચુકવવાની શરૂઆત કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારે સ્પષ્ટતા કરી છે કે જે ખેડૂતોએ પાક વીમો નથી લીધો ત્યાં રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓ આજથી જ સરવે શરૂ કરશે અને સરવેને આધારે ખેડૂતને રાજ્ય ડિઝાસ્ટર રાહત ભંડોળના માપદંડ મુજબ રાહત આપવામાં આવશે. સરકારે વધુ સ્પષ્ટતા કરી છે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદથી નુકસાનનું વળતર આગામી એક સપ્તાહથી જ ચુકવવાનું શરૂ કરવામાં આવશે. જુલાઈથી સપ્ટેમ્બર મહિનાના વરસાદના નુકસાન પેટે ખેડૂતોને અંદાજે રૂપિયા 150 કરોડની ચુકવણી કરવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહત્વનું છે કે સરકારના અંદાજ મુજબ તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે રાજ્યના 31 જિલ્લાના 156 તાલુકાને અસર થઈ છે અને તેમાં પણ 44 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">