સુરેન્દ્રનગરઃ સરકારી હોસ્પિટલોના કારણે કોરોનાના દર્દીઓ રઝળ્યા, મીડિયાની દરમિયાનગીરી બાદ તંત્ર દોડતું થયું
સુરેન્દ્રનગરની સરકારી કોવિડ હોસ્પિટલોની લાલિયાવાડીના કારણે કોરોના દર્દીઓને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. કોરોના દર્દીઓને સીયુ શાહ ટીબી હોસ્પિટલમાં સારવાર માટે જતા રહેવાનું કહીને મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલમાં કોવિડ વોર્ડ અચાનક બંધ કરી દેવાયો. ગાંધી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને કહેવાયું કે, ટીબી હોસ્પિટલમાં જાણ કરી દેવાઈ છે, ત્યાં શિફ્ટ થઈ જાઓ. જેથી કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર […]
સુરેન્દ્રનગરની સરકારી કોવિડ હોસ્પિટલોની લાલિયાવાડીના કારણે કોરોના દર્દીઓને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. કોરોના દર્દીઓને સીયુ શાહ ટીબી હોસ્પિટલમાં સારવાર માટે જતા રહેવાનું કહીને મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલમાં કોવિડ વોર્ડ અચાનક બંધ કરી દેવાયો. ગાંધી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને કહેવાયું કે, ટીબી હોસ્પિટલમાં જાણ કરી દેવાઈ છે, ત્યાં શિફ્ટ થઈ જાઓ. જેથી કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લેવા માટે ટીબી હોસ્પિટલમાં પહોંચી ગયા, પરંતુ હોસ્પિટલ તંત્રએ એવો જવાબ આપ્યો કે, તેમને આ અંગેની કોઈ જ જાણ નથી કરાઈ. જેને પગલે દર્દીઓને કલાકો સુધી રઝળવું પડ્યું. આખરે મીડિયાએ દરમિયાનગીરી કરતાં ટીબી હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું.
આ પણ વાંચો: ગરીબ અને મધ્યમ વર્ગ માટે કમરતોડ ભાવ વધારો, અનલૉકમાં મોંઘવારી આસમાને પહોંચી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો