ગઢડા ગોપીનાથજી ટ્રસ્ટની ચૂંટણીમાં દેવપક્ષનો વિજય
બોટાદના ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ દેવમંદિરના ટ્રસ્ટની 10 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં દેવપક્ષ અને એસ.પી સ્વામી સમર્થિત આચાર્ય પક્ષ વચ્ચેની ચૂંટણીમાં દેવપક્ષની જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે રવિવારે ગોપીનાથજી સ્વામિનારાયણ દેવમંદિરના ટ્રસ્ટની કુલ છ બેઠકો માટે ચૂંટણી અધિકારી, હાઇકોર્ટનાં નિવૃત્ત જજ એસ.એમ.સોનીના ઉત્તમ આયોજનથી રવિવારે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. અગાઉ બ્રહ્મચારીને બિનહરીફ […]
બોટાદના ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ દેવમંદિરના ટ્રસ્ટની 10 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં દેવપક્ષ અને એસ.પી સ્વામી સમર્થિત આચાર્ય પક્ષ વચ્ચેની ચૂંટણીમાં દેવપક્ષની જીત થઈ છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે ગોપીનાથજી સ્વામિનારાયણ દેવમંદિરના ટ્રસ્ટની કુલ છ બેઠકો માટે ચૂંટણી અધિકારી, હાઇકોર્ટનાં નિવૃત્ત જજ એસ.એમ.સોનીના ઉત્તમ આયોજનથી રવિવારે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. અગાઉ બ્રહ્મચારીને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.
આજનો દિવસ ગઢડાવાસીઓ માટે ખૂબ જ મહત્ત્વનો બની રહ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ હાઈપ્રોફાઈલ ચૂંટણી જોવા મળી હતી. જેને કારણે દેવપક્ષનાં હરિભક્તોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો.
જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ મતદાન રવિવારે થયું હતું અને મતગણતરી પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. ગઢડા મંદિર બોર્ડની ચૂંટણીમાં દિવસભરની ઉત્તેજના બાદ આખરે દેવપક્ષનો વિજય થયો છે.
આ પણ વાંચો: ‘ફોની’ વાવાઝોડાએ ભારત પછી હવે બાંગ્લાદેશમાં પણ મચાવી તબાહી
ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ટક્કર હતી. વકીલ બાબુ માંગુકિયાએ આ ચૂંટણીને પ્રદૂષિત ચૂંટણી ગણાવતાં કોર્ટમાં પડકારવાની વાત કરી. જ્યારે આચાર્ય પક્ષના ઉમેદવાર એસ.પી સ્વામીએ મત ગણતરી પર સવાલ ઉઠાવ્યા તો સવારે મતગણતરી હોલમાં પ્રવેશવા બાબતે આચાર્ય પક્ષના હરિભક્તો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]