કોરોના વાઈરસ: ચીનથી આવેલાં 406 લોકોમાંથી 200 લોકોને ઘરે જવા મંજૂરી
ચીનથી ભારત લાવવામાં આવેલાં 406 લોકોને આઈટીબીપી એટલે સેનાના કેમ્પમાં રાખવામાં આવ્યા છે. આ તમામના રિપોર્ટ તો નેગેટિવ આવી ગયા છે. આથી તમામને જલદીથી ભારતમાં પોતાના ઘરે જવા માટે મંજૂરી મળી શકે છે. જે લોકોમાં થોડાપણ લક્ષણો દેખાયા નથી તેવા 200 લોકોને ઘરે જવા માટે મંજૂરી આપવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]
ચીનથી ભારત લાવવામાં આવેલાં 406 લોકોને આઈટીબીપી એટલે સેનાના કેમ્પમાં રાખવામાં આવ્યા છે. આ તમામના રિપોર્ટ તો નેગેટિવ આવી ગયા છે. આથી તમામને જલદીથી ભારતમાં પોતાના ઘરે જવા માટે મંજૂરી મળી શકે છે. જે લોકોમાં થોડાપણ લક્ષણો દેખાયા નથી તેવા 200 લોકોને ઘરે જવા માટે મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો : કોરોના વાઈરસને લઈને ચીનથી આવ્યા સારા સમાચાર, વાંચો વિગત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને સોમવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું કે સેનાની હોસ્પિટલમાં જે 406 લોકો છે તેમાંથી 200 લોકોને પોતાના ઘરે જવા માટે મંજૂરી આપવામાં આવી છે. સરકાર ધીમેધીમે ક્રમાનુસર ઘરે મોકલશે. આ તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે એટલે કે તેઓને કોરોના વાઈરસની અસર નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ સિવાય ભારતીય વિમાન ચીન દવાઓ અને મેડિકલના ઉપકરણો લઈને જઈ રહ્યું છે તો સરકારે જાહેરાત કરી છે કે જો કોઈ ભારતીય બાકી રહી ગયા હોય તો તે આ વિમાન દ્વારા પરત પોતાના દેશ આવી શકે છે. કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં 1800 લોકોના મોત વૈશ્વિક સ્તરે થયા છે. ભારતમાં 3 શંકાસ્પદ કેસની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે તેવી માહિતી પણ સરકારે આપી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]