ફ્રાંસની હત્યા પર વિવાદિત નિવેદન બાદ મુન્નવર રાણા વિરુદ્ધ ફરિયાદ, કહ્યું ફાંસી પર લટકાવી દેશો તો પણ સાચું બોલવાનું નહીં છોડું
ફ્રાંસમાં પૈગંબર મોહમ્મદના કાર્ટૂનના વિવાદના કારણે કેટલીય હત્યા થઈ છે. આ સમગ્ર મામલામાં ઉર્દુ શાયર મુન્નવર રાણાએ હુમલાને યોગ્ય કહ્યો હતો. ત્યારબાદ તેના પર હોબાળો શરું થઇ ગયો હતો. હોબાળો વધતા રાણાએ ફેરવી તોળ્યું અને કહ્યું કે મેં હુમલાને યોગ્ય નથી કહ્યો. Web Stories View more અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો […]
ફ્રાંસમાં પૈગંબર મોહમ્મદના કાર્ટૂનના વિવાદના કારણે કેટલીય હત્યા થઈ છે. આ સમગ્ર મામલામાં ઉર્દુ શાયર મુન્નવર રાણાએ હુમલાને યોગ્ય કહ્યો હતો. ત્યારબાદ તેના પર હોબાળો શરું થઇ ગયો હતો. હોબાળો વધતા રાણાએ ફેરવી તોળ્યું અને કહ્યું કે મેં હુમલાને યોગ્ય નથી કહ્યો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કતલેઆમને યોગ્ય કહ્યા બાદ લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર નોંધવામાં આવી છે. આના પર મુન્નવર રાણા કહે છે કે હું મારી વાત પર કાયમ રહીશ . મને ફ્રાંસની ઘટના પર સત્ય બોલવાની સજા મળે તો તે પણ મંજૂર છે.
આ સાથે જ મુન્નવર રાણાએ કહ્યું કે હું એ લોકો જેવો નથી જે ફરિયાદોને પાછી ખેંચાવે અને સાચું બોલવાથી ડરે. જો મારા પર કોઈપણ ગુનો સાબિત થયો તો ચાર રસ્તે ગોળી મારી દેજો. 69 વર્ષના શાયરને જેહાદી બનાવી દેશો તો પણ સાચું બોલવાનું નહીં છોડું. મારા વિરુદ્ધ કોઈના કહેવાથી કાર્યવાહી થઈ રહી છે. મારા નિવેદન માટે માફી તો નહીં જ માગુ પછી ભલે ફાંસી થઈ જાય.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો