વોલીબોલની પૂર્વ નેશનલ કેપ્ટન મનપ્રિત કૌરે પટિયાલામાં કરી આત્મહત્યા, દહેજને મામલે પગલુ ભર્યાનો આરોપ
દહેજ પ્રથાને લઇને સાસરી પક્ષના પરિવારજનો પરેશાન કરવાને લઇને, વોલીબોલની રાષ્ટ્રીય ટીમની પૂર્વ કેપ્ટને આત્મહત્યા કરી લીધી છે. 24 વર્ષીય મનપ્રિત કૌરે ઝેરી પદાર્થ ખાઇ લઇને આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક પોલીસે પતિ પ્રભજોત સિંહ, સાસુ જસવિંદર કૌર અને સસરા હરવિંદર સિંહ સામે ફરીયાદ દર્જ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મનપ્રિત […]
દહેજ પ્રથાને લઇને સાસરી પક્ષના પરિવારજનો પરેશાન કરવાને લઇને, વોલીબોલની રાષ્ટ્રીય ટીમની પૂર્વ કેપ્ટને આત્મહત્યા કરી લીધી છે. 24 વર્ષીય મનપ્રિત કૌરે ઝેરી પદાર્થ ખાઇ લઇને આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક પોલીસે પતિ પ્રભજોત સિંહ, સાસુ જસવિંદર કૌર અને સસરા હરવિંદર સિંહ સામે ફરીયાદ દર્જ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
મનપ્રિત કૌર વર્ષ 2012માં કેરલ અને 2014માં હિમાચલ પ્રદેશમાં આયોજીત નેશનલ વોલીબોલ ટુર્નામેન્ટમાં રાષ્ટ્રીય ટીમમાં પ્રતિનિધિત્વ કર્યુ હતુ. મનપ્રિત કૌરના પિતા ગુરતેજ સિંહના લગ્ન પ્રભજોત સિંહ સાથે જાન્યુઆરી 2019માં કરવામાં આવી હતી. પિતાના મુજબ લગ્ન દરમ્યાન સાસરી પક્ષને દહેજમાં રોકડા 25 લાખ રુપિયા આપ્યા હતા. લગ્નના થોડાક સમય બાદ તુરત જ પુત્રીના પરીવાર જનો દ્રારા, પીયર થી ફર્નીચર અને ગાડી લઇ આવવા માટે પરેશાનીઓ શરુ કરી હતી.
શરુઆતમાં તો સાસરીયાઓની માંગ પણ કેટલાંક અંશે સંતોષતા રહ્યા હતા, પરંતુ પરેશાન વધતા આખરે પંચાયત બોલાવવામાં આવી હતી. બે વાર પંચાયતે પણ ફેંસલો સંભળાવ્યો હતો. દહેજ માટે તેમની પુત્રી ને માનસિક રીતે પરેશાન કરવામાં આવતી રહેતી હતી. જેને લઇને તેણે આત્મહત્યા કરી લીધી છે. લગ્ન બાદ મનપ્રિત અને પ્રભજોત સિંહ ઓસ્ટ્રેલીયા ગયા હતા, પરંતુ કોરોના લોકડાઉનને લઇને આઠેક માસ રહીને પર ફર્યા હતા. મનપ્રિત કૌરે પરત આવીને આઇલેટ્સની પરીક્ષા આપીને કેનાડાના સ્ટુડન્ટ વિઝા પણ મેળવ્યા હતાં. આમ થોડાક દિવસો બાદ તેને કેનાડા જવાનુ હતુ, પરંતુ સાસરીયાઓનો ત્રાસને લઇને આખરે હવે તેણે આત્મ હત્યા કરી લીધી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો