VIDEO: ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું ગુજરાત, સૌપ્રથમ વખત નર્મદા ડેમના 25 દરવાજા ખોલી દેવામાં આવ્યા
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની જળસપાટી 131 મીટરે પહોંચી ગઈ છે. જેને પગલે ડેમના 25 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાત ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું છે. કારણ કે એવું પહેલીવાર બન્યું છે કે- નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાં 6 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે. જેને પગલે ડેમના […]
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની જળસપાટી 131 મીટરે પહોંચી ગઈ છે. જેને પગલે ડેમના 25 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાત ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું છે. કારણ કે એવું પહેલીવાર બન્યું છે કે- નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાં 6 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે. જેને પગલે ડેમના 25 દરવાજા 0.96 સેમી ખોલીને 90 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં ક્યાં કાયદાઓ થશે લાગુ અને ક્યાં કાયદાઓનો આવશે અંત!
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના ડભોઈ, કરજણ અને શિનોર તાલુકાઓના નર્મદા કાંઠાના 24 ગામોને સાવધાન કરાયા છે. ગત મોડી રાત્રે 1 વાગ્યે સરદાર સરોવર બંધમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેને પગલે વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વડોદરા જિલ્લાના ડભોઈ, કરજણ અને શિનોર તાલુકાઓના નર્મદા કાંઠાના કુલ 24 ગામોને સચેત રહેવા અને તકેદારી રાખવાની સૂચના આપી છે. આ તમામ ગામોના તલાટી કમ મંત્રીઓને પણ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને નર્મદા નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર- જવર ના કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
સરદાર સરોવર નર્મદા બંધના વધતી જળસપાટીમાં બ્રેક મારવા બે વર્ષથી બંધ રિવરબેડ પાવરહાઉસના 250 મેગાવૉટના બે ટર્બાઇન શરૂ કરી દેવાયા છે. જ્યારે કેનલ હેડ પાવર હાઉસના 50 મેગાવૉટના 2 ટર્બાઇન પણ શરૂ કરી દેવાયા છે. જેથી પાણી છોડવાની સાથે વીજ ઉત્પાદન પણ શરૂ થયું છે. રિવરબેડ પાવર હાઉસનું એક ટર્બાઇન 23000થી 25000 ક્યુસેક પાણી વાપરી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો