ખરાબ રસ્તાઓને લઈ CM રૂપાણીનો મહત્વનો નિર્ણય, દિવાળી પહેલા તમામ કામો પુર્ણ કરવા આદેશ
ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ અમદાવાદ સહિતના નાના-મોટા શહેરોના અનેક રસ્તા બિસ્માર છે. જેનું કામ દિવાળી સુધી પૂર્ણ કરવા સીએમ રૂપાણીએ આદેશ કર્યો છે. સીએમ રૂપાણીએ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને આદેશ કર્યો છે કે, નાણાની ચિંતા કર્યા વિના વિકાસના કામો પર ધ્યાન આપે. રસ્તાના સમારકામ માટે કુલ 160 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ […]
ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ અમદાવાદ સહિતના નાના-મોટા શહેરોના અનેક રસ્તા બિસ્માર છે. જેનું કામ દિવાળી સુધી પૂર્ણ કરવા સીએમ રૂપાણીએ આદેશ કર્યો છે. સીએમ રૂપાણીએ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને આદેશ કર્યો છે કે, નાણાની ચિંતા કર્યા વિના વિકાસના કામો પર ધ્યાન આપે. રસ્તાના સમારકામ માટે કુલ 160 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યની તમામ નગરપાલિકાઓને આદેશ કરાયો છે કે, દિવાળી સુધીમાં દરેકના ઘર સુધી નળથી પાણી પહોંચાડવામાં આવે. ઉલ્લેખનીય છે કે, સીએમ રૂપાણીએ આજે 23 નગરપાલિકાઓના વિવિધ 105 કરોડના વિકાસ કાર્યોનું વીડિયો કોન્ફરન્સથી ઈ-લોકાર્પણ કર્યું હતું.
આ પણ વાંચો: કોરોના મહામારી વચ્ચે 15 ઓક્ટોબરથી ખુલશે મલ્ટિપ્લેક્સ, 50% ક્ષમતા સાથે મલ્ટિપ્લેક્સ ખોલવાની મંજૂરી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો