પુલવામા હમલા બાદ પહેલી વખત ઓવૈસીએ મુહતોડ જવાબ આપ્યો, પાકિસ્તાન PMએ પોતાના ચહેરા પરથી માસૂમિયતનો નકાબ ઉતારવો જોઇએ
પુલવામા હુમલા બાદ પહેલી વખત ઓલ ઈન્ડિયા મજલિસ એ ફતેહાદુલ મુસ્લમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. જેને જવાનો પર થયેલા હુમલા માટે પાકિસ્તાનની ટીકા કરી છે અને તેને જ હુમાલાખોર પણ ગણાવ્યું છે. આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં ઝડપથી બદલાઈ કાશ્મીર ઘાટીની સ્થિતિ,દિલ્હીમાં બેઠકો અને કાશ્મીરમાં સુરક્ષા જવાનો હાઇએલર્ટ પર, […]
પુલવામા હુમલા બાદ પહેલી વખત ઓલ ઈન્ડિયા મજલિસ એ ફતેહાદુલ મુસ્લમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. જેને જવાનો પર થયેલા હુમલા માટે પાકિસ્તાનની ટીકા કરી છે અને તેને જ હુમાલાખોર પણ ગણાવ્યું છે.
હંમેશા પોતાના નિવેદનોથી વિવાદ કરતાં ઓવૈસીએ કહ્યું કે, હું પુલવામા હુમલાની નિંદા કરું છું. આ હુમલાના સંબંધ પાકિસ્તાન સાથે જોડાયેલા ચે. જેના પાક. સેના અને ISI જવાબદાર છે. સાથે જ પોતાનો રોષ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, જે લોકો અમારા લોકોને મારીને જવાબદારી સ્વીકારી છે, તેઓ જૈશ-એ-મોહમ્મદ નહીં પરંતુ જૈશ-એ-શેતાન છે.
આ પણ વાંચો : મહિલા દિવસ પહેલાં જ સુરતની મહિલા ડોક્ટરો સર્જશે નવો ઇતિહાસ !
સાથે જ ઓવૈસીએ પાકિસ્તાન વડાપ્રધાનની ટીકા કરતાં કહ્યું કે, ઇમરાન ખાને પોતાના ચહેરા પરથી માસૂમતાનો જે ચહેરો પહેરી રાખ્યો છે તે કાઢી નાખવો જોઇએ. સાથે જ તેમણે કહ્યું કે, પાકિસ્તાન પીએમએ યાદ રાખવું જોઇએ કે અમે જિન્હાની અવગણના કરીએ છે.
આ સાથે જ ઓવૈસીએ કહ્યું કે, અમારા દેશમાં ઘણી સમસ્યાઓ છે પરંતુ જ્યારે પણ દેશની વાત આવે છે ત્યારે અમે એક થઈ જઇ છે. સાથે જ વડાપ્રધાન મોદીને પણ દેશમાં કેવી રીતે 200 કિલો RDX પ્રવેશ કર્યો તેના માટે જવાબદાર લોકો સામે પગલાં લેવાની માંગણી કરી છે.
[yop_poll id=1746]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]