પાકિસ્તાને પહેલાં આ પાંચ વાતોનું નિરાકરણ લાવીને શાંતિની શીખામણ ભારતને આપવી જોઈએ
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે અમે ભારતીય વાયુસેનાના અધિકારી અભિનંદન વતમાનને છોડીને શાંતિ તરફ આગળ વધવા માગીએ છીએ. ઈમરાન ખાને શાંતિની ડંફાસો હાંકતા પહેલાં આ પાંચ મુદ્દાઓ પર વિચારણા કરવી જોઈએ જેનાથી ખરી શાંતિ ભારત અને પાકિસ્તાનની વચ્ચે શક્ય છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ભરેલા માહોલ વચ્ચે પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન શાંતિની વાતો કરી […]
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે અમે ભારતીય વાયુસેનાના અધિકારી અભિનંદન વતમાનને છોડીને શાંતિ તરફ આગળ વધવા માગીએ છીએ. ઈમરાન ખાને શાંતિની ડંફાસો હાંકતા પહેલાં આ પાંચ મુદ્દાઓ પર વિચારણા કરવી જોઈએ જેનાથી ખરી શાંતિ ભારત અને પાકિસ્તાનની વચ્ચે શક્ય છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ભરેલા માહોલ વચ્ચે પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન શાંતિની વાતો કરી રહ્યાં છે તો બીજી તરફ પાકિસ્તાની સૈન્ય સીઝ ફાયરનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યું છે. પુલવામામાં CRPFના કાફલા પર હુમલો કરનાર દોષિતો સામે કાર્યવાહી કર્યા વિના અને પાકિસ્તાનની જમીન પર ચાલી રહેલી આતંકી પ્રવૃતિ અટકાવ્યા વિના શાંતિની વાત કરવી કેટલી યોગ્ય ગણી શકાય. આવા એક બે નહી પરંતુ 5 કારણ એવા છે કે જેના વિરુધ્ધ કાર્યવાહી કર્યા વિના ભારત કે દુનિયાના અન્ય દેશ પાકિસ્તાન સાથે શાંતિની સમજૂતી કરવી શક્ય નથી.
પાકિસ્તાનમા પુલવામા હુમલાના આરોપીને ભારતને સોંપે
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આતંકી હુમલમાં દેશનાં 40 જવાન શહીદ થયા છે. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનનાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. જેના પુરાવા પણ પાકિસ્તાનને સોંપવામાં આવ્યા છે. તેમ છતાં પાકિસ્તાન પુલવામાના આરોપી ભારતને સોંપવા કે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા તૈયાર નથી. હદ તો ત્યારે થઈ કે જ્યારે સમગ્ર વિશ્વ આ હુમલાની નિંદા કરે છે ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન આ હુમલાની નિંદા પણ નથી કરી શકતા અને વાતો શાંતિના પ્રસ્તાવની વાત કરે છે.
પાકિસ્તાનની જમીન પર રહેલા આંતકીઓ સામે કાર્યવાહી કરે
વિશ્વના દેશો જેને વેશ્વિક આંતકી જાહેર કરવા માગ કરી રહ્યા છે તેવા મસૂદ અજહર ઉપરાંત હાફિજ સઈદ અને સૈયદ સલાઉદ્દીન જેવા આંતકવાદીઓને પાકિસ્તાન સાચવી રહ્યું છે. પાકિસ્તાનની ધરતી પર ચાલી રહેલા 18 જેટલા આતંકી સંગઠન કે જે કાશ્મીરના યુવકોને આતંકવાદ માટે તાલીમ આપે છે અને ભારત તેમજ દુનિયામાં અરાજકતા ફેલાવી રહ્યાં છે. આમ જે આતંકવાદી સંસ્થાઓને ખુલ્લો દોર પાકિસ્તાન સેના આપી રહી છે તેના પર પ્રતિબંધ લાવ્યા બાદ જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને શાંતિની કોઈ વાત કરવી જોઈએ.
પાકિસ્તાની સૈન્ય સીઝ ફાયરનું ઉલ્લંઘન બંધ કરે
પાકિસ્તાનની સૈન્ય LOC પર સતત સીઝ ફાયરનો ઉલ્લંઘન કરે છે. પાકિસ્તાન તરફથી સરહદી વિસ્તાર અખનૂર, રાજૌરી, મેંઢર અને કૃષ્ણાઘાટી વિસ્તારમાં પાક. સૈન્ય સીઝ ફાયર કરી રહ્યું છે. જોકે ભારતીય સૈન્ય જડબાતોડ જવાબ આપી રહ્યું છે પરંતુ સીઝ ફાયરની વચ્ચે શાંતિની વાત કેવી રીતે માની શકાય.
કાશ્મીરમાં અલગાવવાદીઓને મળતી મદદ પાકિસ્તાન બંધ કરે
કાશ્મીરમાં અલગાવવાદીઓને પાકિસ્તાન તરફથી સતત મદદ મળી રહી છે. અલગાવવાદીઓને આતંકી હુમલા માટે ટ્રેનિંગ અને ફંડિગ પાકિસ્તાન કરી રહ્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈસેસઆઈએસ અને પાકિસ્તાન સરકાર અલગાવવાદીઓને દરેક પ્રકારની મદદ કરે છે. અલગાવવાદીઓને મળતી મદદ બંધ ન થાય ત્યાં સુધી શાંતિની વાત શક્ય ખરી ?
દાઉદ સહીતના ભારત વિરોધી તત્વો સોંપવામાં આવે
મુંબઈ બ્લાસ્ટ સહીત અસંખ્ય ગુનાઓમાં વોન્ટેડ એવા દાઉદ ઈબ્રાહીમ જેવા ભારત વિરોધી તત્વોને પાકિસ્તાનમાં છુપાઈને બેઠા છે. પાકિસ્તાનમાં બેસીને તેઓ ભારત વિરોધી પ્રવૃતિને અંજામ આપે છે.આમ ઉપરના પાંચ મુદ્દાઓ પર ધ્યાન આપ્યા બાદ પાકિસ્તાનને શાંતિની વાત કરવી જોઈએ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]