રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ, 5 દર્દીના મોત, 6 ઘાયલ

 ગુજરાતમાં વધુ એક હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 દર્દીના મોત નિપજ્યા છે. હોસ્પિટલમાં  સારવારઅર્થે દાખલ 33 પૈકી 11 દર્દીઓ ICU વોર્ડમાં હતા. જેમાંથી 5 દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે 6 દર્દી ઈજાગ્રસ્ત થયા છે જેમાના એક દર્દીની હાલત ગંભીર ગણાવાઈ રહી […]

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ, 5 દર્દીના મોત, 6 ઘાયલ
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Jan 15, 2021 | 3:39 PM

 ગુજરાતમાં વધુ એક હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 દર્દીના મોત નિપજ્યા છે. હોસ્પિટલમાં  સારવારઅર્થે દાખલ 33 પૈકી 11 દર્દીઓ ICU વોર્ડમાં હતા. જેમાંથી 5 દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે 6 દર્દી ઈજાગ્રસ્ત થયા છે જેમાના એક દર્દીની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. હોસ્પિટલના બીજા માળે મશીનરીમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

હોસ્પિટલમાં લાગેલી આગમા જેની બેદરકારી સામે આવશે તેની સામે કાનુની કાર્યવાહી હાથ ધરાશે તેમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યુ છે. ઘટનાની જાણ થતા જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આગને લઈને તપાસના આદેશ કર્યા છે. શિવાનદ હોસ્પિટલે ફાયર એનઓસી લીધુ હતુ કે કેમ તેની તરાસ કરાશે. સાથોસાથ હોસ્પિટલના એક્ઝિટ ગેટ બાબતે પણ તપાસ કરવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે. પોલીસે તપાસ અર્થે હોસ્પિટલનું સીસીટીવી ડીવીઆર કબજે લીધુ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">