જાણો શા માટે મોદી સરકાર 2.0ના આ બીજા બજેટ પર દેશ અને દુનિયાની છે નજર
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2020ની સવારે અગિયાર કલાકે સંસદમાં બજેટ રજૂ કરશે. મોદી સરકાર 2.0ના આ બીજા બજેટ પર દેશ અને દુનિયાની નજર છે. સામાન્ય માણસથી લઈને ઉદ્યોગ જગતને આ બજેટથી ઘણી આશા છે. ખાસ કરીને મધ્યમ વર્ગને આવકવેરામાં છૂટની મર્યાદા વધવાની આશા છે. તો રિયલ એસ્ટેટ સેક્ટરને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે […]
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2020ની સવારે અગિયાર કલાકે સંસદમાં બજેટ રજૂ કરશે. મોદી સરકાર 2.0ના આ બીજા બજેટ પર દેશ અને દુનિયાની નજર છે. સામાન્ય માણસથી લઈને ઉદ્યોગ જગતને આ બજેટથી ઘણી આશા છે. ખાસ કરીને મધ્યમ વર્ગને આવકવેરામાં છૂટની મર્યાદા વધવાની આશા છે. તો રિયલ એસ્ટેટ સેક્ટરને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે આ બજેટમાં પ્લાન સામે આવી શકે છે. આ સિવાય રોજગારી સર્જન પર સરકાર આ બજેટમાં ખાસ ફોકસ કરી શકે છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રની ગઠબંધનની સરકારે આપાતકાલિનમાં કેદીઓને પેન્શન આપવા પર લગાવી રોક
ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિની ગતિ દાયકાના લઘુત્તમ સ્તર પર રહી હોવાનું અનુમાન બતાવવામાં આવ્યું છે. તો બીજી તરફ ટેક્સ કલેક્શનમાં પણ નોંધનીય અછત વર્તાઈ છે. સીતારમણની સામે આ બજેટમાં સંતુલન કાયમ કરવાનો સૌથી મોટો પડકાર છે. મહત્વનું છે કે બજેટ પહેલા જ આર્થિક મોરચા પર ગઈકાલે સારા સમાચાર મળ્યા છે. કોર ઈન્ડસ્ટ્રીઝની પછડાટ પર બ્રેક લાગી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો