સુરત: 12 વર્ષની વિદ્યાર્થીનીએ શિક્ષકના માર મારવાના ડરથી આપઘાત કર્યો
સુરતમાં માત્ર 12 વર્ષની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવી દીધુ. વિદ્યાર્થિની કામરેજના કોસમાડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી. તે શાળાએ ભણવા ગઈ હતી. શાળાએથી આવીને તેણે દફ્તર મુક્યુ અને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. વિદ્યાર્થિની પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે તેને ક્લાસના વિદ્યાર્થીઓ એવું કહીને ડરાવતા હતા કે શિક્ષક […]
સુરતમાં માત્ર 12 વર્ષની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવી દીધુ. વિદ્યાર્થિની કામરેજના કોસમાડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી. તે શાળાએ ભણવા ગઈ હતી. શાળાએથી આવીને તેણે દફ્તર મુક્યુ અને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. વિદ્યાર્થિની પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે તેને ક્લાસના વિદ્યાર્થીઓ એવું કહીને ડરાવતા હતા કે શિક્ષક તેને મારશે. આ ડર જ તેના મન પર એટલો હાવિ થઈ ગયો કે તેણે અંતિમ પગલું ભરી લીધુ.
સોમવારે 13 વર્ષની સુહાની રાઠોડને પેટમાં દુખાવો થતો હતો. જેથી તેણે શાળામાં રજા પાડી હતી. મંગળવારે દંપતિ મજૂરી કામે ગયા હતા. બપોરના 12:15 વાગે ઘરમાં લોખંડની એંગલ સાથે ઓઢણી બાંધી 12 વર્ષીય સગીરાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. માતા-પિતાને જાણ કરાતા તાત્કાલિક સ્થળ પર આવી ગયા હતા. પલંગ પરથી સુસાઈડ નોટ મળી હતી. જેમાં ટીચર મારવાના છે, તેમ કહીને બીજા વિદ્યાર્થીઓ ખીજવતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કામરેજ પોલીસે આ મામલે વધુ તપાસ આગળ હાથ ધરી છે. કોસમાડા ગામે સરદાર આવાસ ફળીયામાં રહેતા અનિલભાઇ હસુભાઇ રાઠોડ અને પત્ની સોનલબેનની દીકરી સુહાની ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતી હતી.
ત્યારે બીજીતરફ નાની ઉંમરમાં જ વિદ્યાર્થિનીએ ડરથી કરી લીધેલા આપઘાતથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. શાળામાં એવા કયા શિક્ષક છે, જેનાથી માસૂમ બાળકો ડરે છે? શાળામાં બાળકો માટે કેમ ઉભો કરાય છે ભયનો માહોલ? કામરેજના કોસમાડા ગામના વિદ્યાર્થીઓ ક્યારે થશે ભયમુક્ત? શું અગાઉ પણ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો? શું રજા પાડતા વિદ્યાર્થીઓને થતી હતી આકરી સજા?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો