રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકના નુકસાન મુદ્દે કેબિનેટ બેઠકમાં રજૂ થયો રિપોર્ટ
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. જે અંગે વીમા કંપનીઓએ નુકસાની અને પાક વીમા અંગેને સર્વે પૂર્ણ કર્યો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. કેબિનેટ બેઠક પછી કૃષિપ્રધાન આર.સી.ફળદુએ મીડિયાને માહિતી આપી કે વીમા કંપનીએ રજૂ કરેલા રિપોર્ટને ધ્યાને રાખીને મુખ્યપ્રધાને આદેશ કર્યો છે કે, આગામી […]
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. જે અંગે વીમા કંપનીઓએ નુકસાની અને પાક વીમા અંગેને સર્વે પૂર્ણ કર્યો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. કેબિનેટ બેઠક પછી કૃષિપ્રધાન આર.સી.ફળદુએ મીડિયાને માહિતી આપી કે વીમા કંપનીએ રજૂ કરેલા રિપોર્ટને ધ્યાને રાખીને મુખ્યપ્રધાને આદેશ કર્યો છે કે, આગામી 31 ડિસેમ્બર પહેલા સહાયની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવે. સાથે જ આર.સી.ફળદુએ રાજ્ય સરકાર પર વીમા કંપનીને છાવરવામાં આવતી હોવાના આક્ષેપોને પણ ફગાવ્યા.
આ પણ વાંચોઃ ગીર-સોમનાથ-ભાવનગર વચ્ચેના હાઈ-વેની છેલ્લા બે વર્ષથી બિસમાર હાલત