VIDEO: પાક નિષ્ફળ જતા ખેડૂતે કર્યો આપઘાત, જૂનાગઢ જિલ્લાના છોડવડી ગામે બની ઘટના
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામે ખેડૂતે પાક નિષ્ફળ જતા પોતાના ખેતરમાં જ કેરોસીન છાંટી આપઘાત કર્યો હતો. ખેડૂત પાસે 20 વીઘા જમીન હતી. ભારે વરસાદના કારણે પોતાને ખેતરમાં કપાસ, તુવેર અને ડુંગળીના પાકનુ વાવેતર કરેલુ હતું તે તમામ વાવેતર માં ઉત્પાદન ખૂબ ઓછુ આવે એમ હોવાથી તણાવના કારણે છેલ્લા બે દિવસથી સતત ટેન્શનમાં રહેતા […]
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામે ખેડૂતે પાક નિષ્ફળ જતા પોતાના ખેતરમાં જ કેરોસીન છાંટી આપઘાત કર્યો હતો. ખેડૂત પાસે 20 વીઘા જમીન હતી. ભારે વરસાદના કારણે પોતાને ખેતરમાં કપાસ, તુવેર અને ડુંગળીના પાકનુ વાવેતર કરેલુ હતું તે તમામ વાવેતર માં ઉત્પાદન ખૂબ ઓછુ આવે એમ હોવાથી તણાવના કારણે છેલ્લા બે દિવસથી સતત ટેન્શનમાં રહેતા હતા. ગઈકાલે પોતાની વાડીએ દવાનો છંટકાવ કરવા જાય છે તેમ કહી ખેતરે આવી કેરોસીન છાંટી આપઘાત કર્યો હતો. આ મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા પણ ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો