અરૂણ જેટલીનું ગુજરાત કનેકશન, ગુજરાતમાંથી રાજ્યસભાના હતા સાંસદ
ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલી હવે નથી રહ્યા. 9 ઓગસ્ટે તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આજે તેમનું નિધન થયું છે. જેટલી હંમેશાં તેમના શ્રેષ્ઠ કાર્યો માટે જાણીતા રહેશે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં અરુણ જેટલીની મોટી ભૂમિકા હતી. અરૂણ જેટલીનો ગુજરાત અને મોદી સાથે બે દાયકાથી ગાઢ સંબંધ […]
ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલી હવે નથી રહ્યા. 9 ઓગસ્ટે તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આજે તેમનું નિધન થયું છે. જેટલી હંમેશાં તેમના શ્રેષ્ઠ કાર્યો માટે જાણીતા રહેશે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં અરુણ જેટલીની મોટી ભૂમિકા હતી. અરૂણ જેટલીનો ગુજરાત અને મોદી સાથે બે દાયકાથી ગાઢ સંબંધ રહ્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વર્ષ-2002 થી 2013 સુધીમાં ગુજરાતમાં સોહરાબુદ્દીન અને ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં પણ જેટલી અમિત શાહ અને મોદીની પડખે રહ્યાં. મીડિયામાં પણ તેઓ અનેકવાર મોદી-શાહનો બચાવ કરતા જોવા મળ્યા. તેની સાથે કાયદાકીય મદદ પણ કરી હતી. વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે દિલ્હી માટે તેઓ નવા હતા. આ સમયે જેટલી એક માત્ર એવા વ્યક્તિ હતા જેઓ અમિત શાહ બાદ મોદીના સૌથી વધુ વિશ્વાસુ હતા.
આ પણ વાંચો: દેશની મહત્વની 6 યોજનાઓની વાત કરવામાં આવશે ત્યારે અરુણ જેટલીને યાદ કરાશે
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]