21મી સદીમાં ભારતીય ચૂંટણીમાં ચૂંટણીપંચે કરી નાખ્યો સૌથી મોટો ફેરફાર, હવે ચૂંટણીમાં નેતાઓ છેતરપીંડી કરવા પહેલાં ન માત્ર 100 વખત વિચાર કરશે પરંતુ ડરશે પણ
2019 લોકસભાની ચૂંટણી માટે જ્યાં એક તરફ રાજકીય પક્ષો પોતાની તાકાત લગાવવાનું શરૂ કરી રહ્યા છે ત્યારે દેશનું મુખ્ય ચૂંટણી પંચ પણ પોતાના તરફથી કોઇ પણ કસર છોડી દેવા માંગતું નથી. દેશમાં ચૂંટણીનું મહત્વ વધારનાર પૂર્વ ચૂંટણી કમિશ્નર ટી એન સેસન બાદ હાલમાં દેશના મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરાએ મહત્વની જાહેરાત કરી છે કે, દેશમાં […]
2019 લોકસભાની ચૂંટણી માટે જ્યાં એક તરફ રાજકીય પક્ષો પોતાની તાકાત લગાવવાનું શરૂ કરી રહ્યા છે ત્યારે દેશનું મુખ્ય ચૂંટણી પંચ પણ પોતાના તરફથી કોઇ પણ કસર છોડી દેવા માંગતું નથી.
દેશમાં ચૂંટણીનું મહત્વ વધારનાર પૂર્વ ચૂંટણી કમિશ્નર ટી એન સેસન બાદ હાલમાં દેશના મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરાએ મહત્વની જાહેરાત કરી છે કે, દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચાર સંહિતા લાગુ થઈ જશે અને તેની સાથે જ એક ખાસ ‘સી-વિજિલ’ (C-Vigil) નામની એપ પણ લોન્ચ કરવામાં આવશે.
આ એપના કારણે તમામ રાજકીય પક્ષો પર સીધા તમે જ નજર રાખી શકશો. જેમાં કોઇ પણ સામાન્ય નાગરિક આચાર સંહિતાનું ભંગ કરવા અંગે ચૂંટણી પંચને સીધી ફરિયાદ કરી શકશે. જેના પર જરૂરી પગલાં પણ ભરવામાં આવશે.
દેશમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતાં આ એપનું મહત્વ વધી જશે. જેના પર મુખ્ય ચૂંટણી પંચે કહ્યું કે, આ એપ ચૂંટણીની જાહેરાત સાથે જ લોન્ચ કરવામાં આવશે અને મતદાનના એક દિવસ સુધી ચાલું રહેશે. જેમાં દેશના સામાન્ય નાગરિક આચાર સંહિતાના ભંગ સંબંધિત ફોટો અથવા બે મિનિટના વીડિયો શેર કરી શકશે.
[yop_poll id=”936″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]