‘કચરો’ સારો છે, આગામી 6 વર્ષમાં 5 લાખ નોકરીનું થશે સર્જન, ઈ-વેસ્ટ ક્ષેત્રે ઉભી થશે રોજગારીની તકો
વર્ષ 2025 સુધી ઈ-વેસ્ટ એટલે કે ઈલેક્ટ્રોનિક કચરાના નિકાલ માટે દેશમાં 5 લાખ જેટલી નોકરીઓનું સર્જન થઈ શકે છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશને આ અનુમાન વ્યક્ત કર્યું છે. આઈએફસીના કહેવા પ્રમાણે ઈલેક્ટ્રોનિક કચરાના વ્યવસાયમાં, સીરીઝ-સંગ્રહ, એકત્રીકરણ, વિખેરવું અને રિસાયક્લિંગમા વર્ષ 2025 સુધીમાં 4.50 લાખ પ્રત્યક્ષ રોજગારી ઉભી થશે. તેના સિવાય હજારોની સંખ્યામાં પરોક્ષ રોજગારનુ સર્જન થશે […]
વર્ષ 2025 સુધી ઈ-વેસ્ટ એટલે કે ઈલેક્ટ્રોનિક કચરાના નિકાલ માટે દેશમાં 5 લાખ જેટલી નોકરીઓનું સર્જન થઈ શકે છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશને આ અનુમાન વ્યક્ત કર્યું છે.
આઈએફસીના કહેવા પ્રમાણે ઈલેક્ટ્રોનિક કચરાના વ્યવસાયમાં, સીરીઝ-સંગ્રહ, એકત્રીકરણ, વિખેરવું અને રિસાયક્લિંગમા વર્ષ 2025 સુધીમાં 4.50 લાખ પ્રત્યક્ષ રોજગારી ઉભી થશે. તેના સિવાય હજારોની સંખ્યામાં પરોક્ષ રોજગારનુ સર્જન થશે સાથે જ પરિવહન અને ઉત્પાદન ક્ષેત્રમાં 1.80 લાખ નોકરી ઉભી થવાની સંભાવના છે.
સરકારના ઈ-વેસ્ટ મેનેજમેન્ટ અને હૈંડલિંગ નિયમ 2016 અંતર્ગત આઈએફસી અને ‘કરો સંભવ’નામની એક ઉત્પાદક જવાબદારી સંસ્થા એ 2017માં ઈન્ડિયા ઈ-વેસ્ટ કાર્યક્રમની શરૂઆત કરી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત 4 હજાર મેટ્રીક ટનથી પણ વધારે કચરો એકત્રિત કરવામાં આવ્યો અને જવાબદારીપૂર્વક તેને ફરીથી ઉપયોગમાં પણ લેવામાં આવ્યો. મહત્ત્વનું છે કે, કુલ 22 લાખ 60 હજાર લોકોને ઈ-વેસ્ટથી સુરક્ષિત રીતે નિરાકરણ લાવવા માટે જાગ્રત કરવામાં આવ્યા છે.
ભારતીય બજારોમા ઈલેક્ટ્રોનિકસ વસ્તુઓની માંગ વધતી જાય છે. અંદાજે 2020 સુધીમાં 400 અરબ ડોલર સુધી આ માંગ પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ભારતમાં પ્રતિ વર્ષ 20 લાખ ટન ઈ- વેસ્ટ કચરો પેદા થાય છે. જે 2020 સુધીમાં 50 લાખ ટન સુધી પહોંચવાની શક્યતાઓ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]