અમદાવાદમાં ધૂળ ખાઈ રહ્યા છે, કરોનાના દર્દી માટે તૈયાર કરાયેલા રેલ્વેના 60 કોચ
અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓને આઈસોલેશન કરી શકાય તે માટે રેલ્વે વિભાગ દ્વારા તૈયાર કરાયેલા 70 કોચ ધૂળ ખાઈ રહ્યાં છે. અમદાવાદમાંથી કોરોનાના દર્દીઓને ખેડા, કરમસદ અને કલોલ સુધી મોકલવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં જ સારવાર અર્થે ઉભા કરેલ સુવિધાનો કોઈ જ લાભ લેવાતો નથી. કેટલાક સ્થળે તો મેડીકલ ક્ષેત્રની પ્રાથમિક કહી શકાય તેવી લેબોરેટરી, એક્સરે […]
અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓને આઈસોલેશન કરી શકાય તે માટે રેલ્વે વિભાગ દ્વારા તૈયાર કરાયેલા 70 કોચ ધૂળ ખાઈ રહ્યાં છે. અમદાવાદમાંથી કોરોનાના દર્દીઓને ખેડા, કરમસદ અને કલોલ સુધી મોકલવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં જ સારવાર અર્થે ઉભા કરેલ સુવિધાનો કોઈ જ લાભ લેવાતો નથી. કેટલાક સ્થળે તો મેડીકલ ક્ષેત્રની પ્રાથમિક કહી શકાય તેવી લેબોરેટરી, એક્સરે લેવાની, ઓક્સીજન આપવા જેવી સુવિધાઓ ના હોવા છતા ત્યાં દર્દીઓને ગોધી રખાય છે.
દેશભરમાં 100 કરોડના ખર્ચે રેલ્વે દ્વારા 5000 કોચમાં કોરોનાના દર્દીઓ માટે અલાયદી સુવિધા ઊભી કરાઈ હતી. પશ્ચિમ રેલ્વે દ્વારા કુલ 410 આઈસોલેશન કોચ તૈયાર કરાયા હતા. જે પૈકી અમદાવાદ ઝોનમાં 60 કોચ તૈયાર કરાયા છે, જે સાબરમતી, કાંકરીયા, ગાંધીધામ અને ભૂજ રેલ્વે યાર્ડમાં રખાયા છે. પરંતુ હજુ સુધી તેનો ઉપયોગ ના કરતા હવે આ કોચને ધીમે ધીમે દૂર કરાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો