બનાસકાંઠા પંથકમાં તીડનો આતંકઃ જેસોરના વન્યજીવ અભ્યારણમાં પણ તીડએ જમાવ્યો કબજો
બનાસકાંઠા પંથકમાં તીડે કેવો આતંક મચાવ્યો છે. તેના ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો જ ચાડી ખાય છે કે, બનાસકાંઠા પંથકમાં તીડનો કેટલી હદે ત્રાસ વર્તાઇ રહ્યો હશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા બાદ હવે આ તીડ જેસોરના વન્યજીવ અભ્યારણમાં પહોંચ્યા છે. દ્રશ્યોમાં જોઇ શકાય છે કે, લીલાછમ વૃક્ષ પર માત્ર તીડના ઝૂંડ જ […]
બનાસકાંઠા પંથકમાં તીડે કેવો આતંક મચાવ્યો છે. તેના ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો જ ચાડી ખાય છે કે, બનાસકાંઠા પંથકમાં તીડનો કેટલી હદે ત્રાસ વર્તાઇ રહ્યો હશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા બાદ હવે આ તીડ જેસોરના વન્યજીવ અભ્યારણમાં પહોંચ્યા છે. દ્રશ્યોમાં જોઇ શકાય છે કે, લીલાછમ વૃક્ષ પર માત્ર તીડના ઝૂંડ જ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી 2 દિવસ વાતાવરણ રહેશે સાફ, ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે!
લાખોની સંખ્યામાં તીડના ઝૂંડનો આ આકાશી નજારો છે. આકાશી આફતના આકાશી દ્રશ્યો જ ઘટનાની ગંભીરતા દર્શાવી રહ્યા છે. આ તીડના ઝૂંડ નથી, પરંતુ આફતના ઝૂંડ છે. લીલા ખેતરમાં આ ઝૂંડના રોકાણ બાદ ખેતર ઉજ્જડ મેદાન બની જાય છે. ત્યારે આ તીડથી હવે કેવી રીતે છૂટકારો મળશે તે એક સવાલ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો