દિવાળીના તહેવારમાં યાત્રાધામ ચોટિલામાં ભક્તોની ઉમટી ભીડ, કોરોનાના નિયમોનો જોવા મળ્યો સદંતર અભાવ
દિવાળીની ખરીદી હોય કે પછી દેવ દર્શન. સરકારની અનેક અપીલ બાદ પણ નાગરિકો જ્યાં જુઓ ત્યાં ભારે ભીડ જમાવી રહ્યા છે.કઇક આવા જ દ્રશ્યો સર્જાયા યાત્રાધામ ચોટિલા ખાતે. મા ચામુંડાના દર્શન માટે ભક્તોએ ભારે ભીડ જમાવી. ત્યારે કોરોના મહામારીમાં આ દ્રશ્યો સૌને ચિંતામાં મુકી દે તેવા છે. પરંતુ અહીં તો નાગરિકોને જાણે કે કોરોનાનો કોઇ […]
દિવાળીની ખરીદી હોય કે પછી દેવ દર્શન. સરકારની અનેક અપીલ બાદ પણ નાગરિકો જ્યાં જુઓ ત્યાં ભારે ભીડ જમાવી રહ્યા છે.કઇક આવા જ દ્રશ્યો સર્જાયા યાત્રાધામ ચોટિલા ખાતે. મા ચામુંડાના દર્શન માટે ભક્તોએ ભારે ભીડ જમાવી. ત્યારે કોરોના મહામારીમાં આ દ્રશ્યો સૌને ચિંતામાં મુકી દે તેવા છે. પરંતુ અહીં તો નાગરિકોને જાણે કે કોરોનાનો કોઇ જ ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જોકે નિયમ પાલનમાં તંત્રની નિષ્ક્રિયતા પણ જોવા મળી. અહીં સુરક્ષાકર્મીઓની ગેરહાજરી હતી. અધિકારીઓ નાગરિકો પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે અને નિયમ ભંગ મુદ્દે આંખ આડા કાન કરી રહ્યા છે. તો મંદિર સંચાલકો પણ હજારોની ભીડને સમજાવવામાં લાચાર બન્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો