દિવાળી પર્વમાં સાળંગપુર હનુમાનજી મંદિરમાં દર્શનાર્થીઓ ઉમટયાં, કષ્ટભંજન દેવને 8 કિલો સોનાના વસ્ત્રોનો શણગાર
દિવાળીના પર્વે સાળંગપુર હનુમાનજી મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચ્યા. સુપ્રસિદ્ધ યાત્રાધામમાં કષ્ટભંજન દેવ મંદિરના પ્રાંગણમાં મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ મારૂતિ યજ્ઞનો 151 યજમાનોએ લાભ લીધો. અહીં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે મહાયજ્ઞનું આયોજન થયો. દિવાળીના પર્વે ભક્તોએ હનુમાનજીના દર્શનની સાથે જ હવનના દર્શનનો પણ લ્હાવો લીધો. કષ્ટભંજન દેવને 8 કિલો સોનામાંથી […]
દિવાળીના પર્વે સાળંગપુર હનુમાનજી મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચ્યા. સુપ્રસિદ્ધ યાત્રાધામમાં કષ્ટભંજન દેવ મંદિરના પ્રાંગણમાં મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ મારૂતિ યજ્ઞનો 151 યજમાનોએ લાભ લીધો. અહીં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે મહાયજ્ઞનું આયોજન થયો. દિવાળીના પર્વે ભક્તોએ હનુમાનજીના દર્શનની સાથે જ હવનના દર્શનનો પણ લ્હાવો લીધો.
કષ્ટભંજન દેવને 8 કિલો સોનામાંથી બનેલા વાઘા પહેરાવવામાં આવશે. આ વાઘામાં 1 કરોડના હીરા જડવામાં આવશે. 22 મુખ્ય અને 100 અન્ય કારીગરોએ મહિનાઓ સુધીની મહેનત બાદ હીરા જડીત સુવર્ણ વાઘા તૈયાર કર્યા છે. આ વાઘામાં રિયલ ડાયમંડ, રૂબી, બિકાનેરી મીણો અને એન્ટિક વર્કનો પણ સમન્વય જોવા મળે છે. સંતોના માર્ગદર્શનથી મુગટ અને કુંડળમાં સાચા હીરા જડીત વર્ક કરાયું. આ પેટે ભક્તોએ 250 રૂપિયાથી લઈને 1 કરોડ સુધીનું દાન આપ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો