ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, 8 હજાર જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
ત્રણ દિવસ બાદ ફરી એકવાર રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ. વરસાદની આગાહીના કારણે પૂરવઠા વિભાગે ત્રણ દિવસ માટે મગફળીની ખરીદી બંધ કરવા આદેશ કર્યો હતો. ત્યારબાદ આજે ફરી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. આજે 150 જેટલા ખેડૂતોને પોતાની મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, ધોરાજીમાં 8 […]
ત્રણ દિવસ બાદ ફરી એકવાર રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ. વરસાદની આગાહીના કારણે પૂરવઠા વિભાગે ત્રણ દિવસ માટે મગફળીની ખરીદી બંધ કરવા આદેશ કર્યો હતો. ત્યારબાદ આજે ફરી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. આજે 150 જેટલા ખેડૂતોને પોતાની મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, ધોરાજીમાં 8 હજાર જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. આ ઉપરાંત ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધી 81 હજાર 700 ગુણી મગફળીની ખરીદી થઇ ચુકી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો