અમદાવાદમાં કરફ્યુ છતા વિમાનીસેવા યથાવત, ફલાઈટની ટિકીટ બતાવશો તો નહી થાવ હેરાન
કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં કર્ફયુ લગાવવાનો નિર્ણય કરાયો છે. ત્યારે સારા સમાચાર એ છે કે અમદાવાદ એરપોર્ટ પરથી આવતી જતી કોઇ ફ્લાઈટ્સને કોઇ અસર નહી પડે. સાથે જ અમદાવાદ આવતી જતી ફ્લાઈટ તેના નિયત શેડ્યુલ મુજબ જ ચાલશે. મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ એ દેશના તમામ એરપોર્ટમાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાનું એક એરપોર્ટ ગણાય છે. ત્યારે […]
કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં કર્ફયુ લગાવવાનો નિર્ણય કરાયો છે. ત્યારે સારા સમાચાર એ છે કે અમદાવાદ એરપોર્ટ પરથી આવતી જતી કોઇ ફ્લાઈટ્સને કોઇ અસર નહી પડે. સાથે જ અમદાવાદ આવતી જતી ફ્લાઈટ તેના નિયત શેડ્યુલ મુજબ જ ચાલશે. મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ એ દેશના તમામ એરપોર્ટમાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાનું એક એરપોર્ટ ગણાય છે. ત્યારે એવી વિગતો સામે આવી છે કે કર્ફ્યુ દરમ્યાન પણ અમદાવાદ આવતી જતી ફ્લાઈટ્સ રાબેતા મુજબ જ ચાલશે. જો કે, ફ્લાઈટથી મુસાફરી કરતા મુસાફરોએ તેમના બોર્ડીંગ પાસ કે ટિકિટ્સ સાથે રાખવા પડશે.. જેથી ટેક્સી કે અન્ય કોઇપણ વાહનથી અમદાવાદમાં અવર જવર કરતા તેમને પરેશાની નહી થાય.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો