દેશમાં 1 ઓક્ટોબરથી અનલોક 5 લાગુ થઈ શકે છે, ગૃહ મંત્રાલય કોઇપણ સમયે ગાઇડલાઇન જાહેર કરી શકે છે, તહેવારો વચ્ચે ગાઇડલાઇન જાહેર કરવી બની શકે છે પડકાર
દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે, 60 લાખ 84 હજારથી વધુ પોઝિટિવ કેસ થઈ ગયા છે જેની વચ્ચે 1 ઓક્ટોબરથી અનલોક 5 લાગુ થઈ શકે છે. ગૃહ મંત્રાલય કોઇપણ સમયે ગાઇડલાઇન જાહેર કરી શકે છે, અનલોક 5ની ગાઇડલાઇન પહેલા આશા છે કે શોપિંગ મોલ અને સિનેમા હોલ ફરીથી ખુલી શકે છે. તો અનલોક 5માં […]
દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે, 60 લાખ 84 હજારથી વધુ પોઝિટિવ કેસ થઈ ગયા છે જેની વચ્ચે 1 ઓક્ટોબરથી અનલોક 5 લાગુ થઈ શકે છે. ગૃહ મંત્રાલય કોઇપણ સમયે ગાઇડલાઇન જાહેર કરી શકે છે, અનલોક 5ની ગાઇડલાઇન પહેલા આશા છે કે શોપિંગ મોલ અને સિનેમા હોલ ફરીથી ખુલી શકે છે. તો અનલોક 5માં પ્રવાસન સ્થળને ખોલવાને લઇને પણ આદેશ મળી શકે છે. સૌ જાણે છે કે ઓક્ટોબર મહિનામાં તહેવાર આવે છે, ત્યારે ગૃહ મંત્રાલય પાસે ગાઇડલાઇન જાહેર કરવી એક પડકાર રહેશે.
અનલોક 5માં શું છૂટ મળી શકે છે તેના પર નજર કરીએ તો તહેવારની સીઝન હોવાથી ધાર્મિક સ્થળ પર જવાની છૂટ મળી શકે, સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ઓછા લોકોને પરવાનગી મળી શકે તો શોપિંગને લઇને પણ ગાઇડલાઇનમાં છૂટ આપવામાં આવી શકે છે. સિનેમા હોલ પણ લોકડાઉન બાદ બંધ જ છે તેવામાં સિનેમા હોલને ખોલવા પર સૌની નજર છે, 21 સપ્ટેમ્બરે સિનેમા હોલ ખોલવાની વાત થઈ હતી પરંતુ સરકારે તેને પરવાનગી આપી ન હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો