દિલ્હીમાં કરોલબાગ ખાતેની હોટેલમાં ભીષણ આગ, 13 લોકોના મોત, 25 ફાયર ફાઇટર ઘટનાસ્થળે
દિલ્હીના કરોલબાગમાં એક હોટેલમાં મંગળવારે વહેલી સવારે ભીષણ આગ લાગી ગઈ કે જેમાં 13 વ્યક્તિઓના મોત થઈ ગયાં. આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું અને રાહત તથા બચાવ કાર્ય શરુ કરી દીધું. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ હોટેલમાંથી સાત લોકોને સલામત બહાર કાઢી લેવાયા છે. Web Stories View more 30 લાખની […]
દિલ્હીના કરોલબાગમાં એક હોટેલમાં મંગળવારે વહેલી સવારે ભીષણ આગ લાગી ગઈ કે જેમાં 13 વ્યક્તિઓના મોત થઈ ગયાં.
આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું અને રાહત તથા બચાવ કાર્ય શરુ કરી દીધું. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ હોટેલમાંથી સાત લોકોને સલામત બહાર કાઢી લેવાયા છે.
કરોલબાગ ખાતેની અર્પિત પૅલેસ હોટેલમાં આ આગ લાગી હતી કે જેને ઓલવવા ફાયર બ્રિગેડની 26 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. હોટેલમાં 40 રૂમ્સ છે. આગમાંથી જે 7 લોકોને બચાવવામાં આવ્યા, તેમાં કેરળના એક જ પરિવારના 7 લોકો છે.
આગનું કારણ શૉર્ટ સર્કિટ બતાવાયું છે. મૃતકોમાં એક બાળક, એક મહિલા અને 6 પુરુષોનો સમાવેશ થાય છે.
[yop_poll id=1336]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]