લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની જનતાએ વિપક્ષોને શીખવ્યો ‘સબક’ તો કેજરીવાલ આવ્યા હોંશમાં, મોદી સરકારની એક ખાસ યોજનાને મહિનાઓ પછી કરી લાગૂ

લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ દિલ્હીની કેજરીવાલ સરકારના તેવરમાં ફેરફાર થયો છે. દિલ્હીની સરકારે સરકારી નોકરીઓમાં આર્થિક રીતે પછાત વર્ગોને 10 ટકા અનામત આપવાના કાયદાને મંજૂરી આપી દીધી છે. મંગળવારના રોજ દિલ્હીની સરકારે આ બાબતે એક સર્ક્યુલર બહાર પાડ્યો છે અને તેમાં આર્થિક રીતે પછાત વર્ગોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી દીધી છે. આ […]

લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની જનતાએ વિપક્ષોને શીખવ્યો 'સબક' તો કેજરીવાલ આવ્યા હોંશમાં, મોદી સરકારની એક ખાસ યોજનાને મહિનાઓ પછી કરી લાગૂ
Follow Us:
| Updated on: May 29, 2019 | 1:28 PM

લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ દિલ્હીની કેજરીવાલ સરકારના તેવરમાં ફેરફાર થયો છે. દિલ્હીની સરકારે સરકારી નોકરીઓમાં આર્થિક રીતે પછાત વર્ગોને 10 ટકા અનામત આપવાના કાયદાને મંજૂરી આપી દીધી છે.

મંગળવારના રોજ દિલ્હીની સરકારે આ બાબતે એક સર્ક્યુલર બહાર પાડ્યો છે અને તેમાં આર્થિક રીતે પછાત વર્ગોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી દીધી છે. આ સર્ક્યુલર બાદ જ દિલ્હીમાં બધી જ સરકારી નોકરીમાં હવે સામાન્ય વર્ગના ગરીબ લોકોને ફાયદો મળી રહેશે. 10 ટકા અનામત નોકરીમાં લાગૂ થઈ જશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ તરત જ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા આ નિર્ણય લેવાયો છે જેના લીધે એવું માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રની સરકાર અને દિલ્હી સરકાર વચ્ચેના ઘર્ષણને ટાળી શકાય. ચૂંટણી પરિણામો પછી કેજરીવાલે કેન્દ્રમાં જે ભાજપની સરકાર બનશે તેની સાથે રહીને કામ કરવાની વાત પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હતી.

આ પણ વાંચો:  મમતા બેનર્જીના ગઢ બંગાળમાં ફરીથી ભાજપે પાડ્યું ગાબડું, 1 ધારાસભ્યે છોડ્યો TMCનો સાથ

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સાથે ગઠબંધન કરી શકાયું નહીં અને તેના લીધે જ પણ કેજરીવાલ મુશ્કેલીમાં મુકાયા હતા. બાદમાં તેઓ એકલા હાથે દિલ્હીમાં લડ્યા અને કેજરીવાલની પાર્ટીને એકપણ લોકસભાની સીટ મળી નહીં. આ કારમી હાર બાદ જો આમ આદમી પાર્ટીને મળેલાં મતની સંખ્યા જોવા જઈએ તો જે વિધાનસભાની ચૂંટણીમાં નંબર 1 પાર્ટી હતી તે જ આમ આદમી પાર્ટી હવે ત્રીજા નંબરે આવી ગયી છે. દિલ્હીમાં લોકસભાની કુલ 7 સીટો પર ચૂંટણી યોજાઈ હતી તેમાં આમ આદમી પાર્ટીને એકપણ સીટ મળી નથી. આ જનાદેશને કેજરીવાલે સ્વીકારીને કેન્દ્ર સરકાર સાથે કામ કરવાની પણ વાત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આગળના વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હી ખાતે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ શકે છે અને તેને લઈને હવે આમ આદમી પાર્ટી આક્રમક મૂડમાં છે. એવું માનવામાં આવી રહ્યું છે દિલ્હીમાં મત મેળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેનો સીધો લાભ આમ આદમી પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં મળી શકે. લોકસભાની ચૂંટણીમાં તો હાર થઈ પણ જો વિધાનસભાની ચૂંટણીમાં પણ આવા પરિણામો આવે તો કેજરીવાલના રાજકીય કરિયર પર ખતરો થઈ શકે. આમ એવું માનવામાં આવી રહ્યું છે વિધાનસભાની ચૂંટણી પહેલાં લોકોના મતો મેળવવા માટે આ નિર્ણય કેજરીવાલની સરકારે લીધો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">