દિલ્હીમાં રાણી ઝાંસી રોડ પર અગ્નીકાંડમાં 43 લોકોના મોત પછી રાજ્ય સરકાર અને કેન્દ્ર દ્વારા 10 લાખની સહાય
દિલ્હીના રાણી ઝાંસી રોડ પર અગ્નીકાંડમાં 43 લોકોના મોત થયા છે. ફાયર વિભાગે 54 લોકોના જીવ બચાવ્યા છે. જેમાં કેટલાક લોકોના મૃત્યુ થઈ ગયા હતા. આ ભયંકર અગ્નીકાંડમાં મોટાભાગના લોકોની મોત ગુંગળાવવાથી થઈ છે. મૃતક અને ઘાયલોને સહાય દિલ્હી અગ્નીકાંડમાં મુખ્યપ્રધાન કેજરીવાલે મૃતકોના પરિવારને 10-10 લાખની સહાય અને ઘાયલોને 1-1 લાખ આપવાની જાહેરતા કરી છે. […]
દિલ્હીના રાણી ઝાંસી રોડ પર અગ્નીકાંડમાં 43 લોકોના મોત થયા છે. ફાયર વિભાગે 54 લોકોના જીવ બચાવ્યા છે. જેમાં કેટલાક લોકોના મૃત્યુ થઈ ગયા હતા. આ ભયંકર અગ્નીકાંડમાં મોટાભાગના લોકોની મોત ગુંગળાવવાથી થઈ છે.
મૃતક અને ઘાયલોને સહાય
દિલ્હી અગ્નીકાંડમાં મુખ્યપ્રધાન કેજરીવાલે મૃતકોના પરિવારને 10-10 લાખની સહાય અને ઘાયલોને 1-1 લાખ આપવાની જાહેરતા કરી છે. તો બીજી તરફ PM મોદીએ પણ મૃતકોના પરિવારને 2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાયનું એલાન કર્યું છે. આ સાથે પ્રદેશ ભાજપના નેતા મનોજ તિવારીએ અગ્નીકાંડમાં ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઘાયલોને લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલ અને લેડી હાર્ડિંગ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડૉક્ટરોની મોટી સારવારમાં લાગી છે. એક માહિતી પ્રમાણે જે ઈમારતમાં આગ લાગી તેના દરવાજા પર બહારથી તાળુ મારવામાં આવ્યું હતું. અને આગ લાગ્યા બાદ લોકો બચાવ-બચાવની બૂમ પાડી રહ્યા હતા. ફાયર વિભાગની મદદ પહેલા જ સ્થાનિકોએ અનેક લોકોએ બહાર કાઢ્યા હતા.
ફેક્ટ્રીમાં સ્કૂલ બેગ બનાવવામાં આવતી હતી
પીડિતોના પરિવારે જણાવ્યું કે, ફેક્ટ્રીમાં કામ કરતા મોટાભાગના લોકો યુવાન હતા જેની ઉંમર 20થી 30 વર્ષ સુધીની હતી. ફેક્ટ્રીની સિસ્ટમ એવી બનાવી હતી કે, શ્રમિકોની કામ કરવાની જગ્યા સાથે ખાવા રહેવાની વ્યવસ્થા પણ એક જગ્યાએ જ હતી. આગની ઘટના સમયે અનેક લોકો આરામ કરી રહ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો