દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરવા માટે રિટર્નિંગ ઓફિસરની ઓફિસ જામનગર હાઉસ પહોંચ્યા હતા. કેજરીવાલ જ્યારે જામનગર હાઉસમાં ઉમેદવારી નોંધાવી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ વિરોધમાં નારેબાજી કરી હતી. જે બાદ સુરક્ષા વધારવામાં આવી હતી. ઉમેદવારી પહેલા કેજરીવાલે કહ્યું કે, આ વખતે ચૂંટણીમાં અમે જેજેપી, LJP, RJD […]
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરવા માટે રિટર્નિંગ ઓફિસરની ઓફિસ જામનગર હાઉસ પહોંચ્યા હતા. કેજરીવાલ જ્યારે જામનગર હાઉસમાં ઉમેદવારી નોંધાવી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ વિરોધમાં નારેબાજી કરી હતી. જે બાદ સુરક્ષા વધારવામાં આવી હતી. ઉમેદવારી પહેલા કેજરીવાલે કહ્યું કે, આ વખતે ચૂંટણીમાં અમે જેજેપી, LJP, RJD સહિત અનેક પાર્ટી મેદાને છે. અને તમામનો હેતુ કેજરીવાલને હરાવવાનો છે. જ્યારે મારો ઈરાદો ભ્રષ્ટાચારને દૂર કરવાનો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં તીડ ત્રાટક્યા બાદ ખેડૂતોની દયનીય હાલત, આ રીતે પશુધનને પણ થયું નુકસાન
મહત્વનું છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. ગઈકાલે રોડ શો દરમિયાન જામમાં ફસાવવાના કારણે કેજરીવાલ ઉમેદવારી નોંધાવી શક્યા નહોતા.
અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ ભાજપના સુનીલ યાદવ તો, કોંગ્રેસના રોમેશ સબ્બરવાલ મેદાને છે.