CAA વિરુદ્ધ રાજઘાટ પર સોનિયા-રાહુલ અને મનમોહન સિહે સરકારને બંધારણની પ્રસ્તાવના યાદ કરાવી
દેશના કેટલાક રાજ્યમાં નાગરિકત્વના કાયદા સામે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દિલ્લીમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કર્યું છે. રાજઘાટ ખાતે કોંગ્રેસના નેતાઓ સત્યાગ્રહ કરી સરકારનો વિરોધ કરી રહ્યા છે. જેમાં રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી સહિતના વિરોધમાં જોડાયા છે. સાથે મનમોહન સિંહ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યપ્રધાન કમલનાથ પણ હાજર રહ્યા હતા. તો પ્રિયંકા ગાંધી […]
દેશના કેટલાક રાજ્યમાં નાગરિકત્વના કાયદા સામે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દિલ્લીમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કર્યું છે. રાજઘાટ ખાતે કોંગ્રેસના નેતાઓ સત્યાગ્રહ કરી સરકારનો વિરોધ કરી રહ્યા છે. જેમાં રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી સહિતના વિરોધમાં જોડાયા છે. સાથે મનમોહન સિંહ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યપ્રધાન કમલનાથ પણ હાજર રહ્યા હતા. તો પ્રિયંકા ગાંધી નેતૃત્વ કરી રહ્યા છે. મહત્વનું છે કે, રવિવારે દિલ્લીની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદર્શનકર્તાઓેને વિરોધીઓની અફવામાં ન આવવા અપીલ કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહત્વનું છે કે, ઈન્ડિયા ગેટ ખાતે પ્રિયંકાએ અગાઉ પણ ધરણાં કર્યા હતા. અને લોકોના આંદોલનમાં જોડાયા હતા. કોંગ્રેસ તમામ મંચ પર CAAનો વિરોધ નોંધાવી રહી છે. સાથે રાહુલ ગાંધી પોતાના ટ્વીટર પરથી પણ PM મોદી અને ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે.