દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ CM અરવિંદ કેજરીવાલે અમિત શાહ સાથે કરી મુલાકાત
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સતત ત્રીજા વખત સત્તા મેળવનારા અરવિંદ કેજરીવાલે અમિત શાહ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. કેજરીવાલે કહ્યું કે, ‘આ એક સારી મુલાકાત હતી. અમિત શાહ સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી છે. બેઠકમાં દિલ્હીનાં વિકાસ અંગે અમારી વાતો થઈ છે. કેન્દ્ર […]
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સતત ત્રીજા વખત સત્તા મેળવનારા અરવિંદ કેજરીવાલે અમિત શાહ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. કેજરીવાલે કહ્યું કે, ‘આ એક સારી મુલાકાત હતી. અમિત શાહ સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી છે. બેઠકમાં દિલ્હીનાં વિકાસ અંગે અમારી વાતો થઈ છે. કેન્દ્ર સરકારના સાથે સહકારથી કામ કરવાની વાત પણ કરી હતી. સાથે મહિલા સુરક્ષા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે. તો કેજરીવાલે હાલ દિલ્હીમાં ચાલતા શાહીનબાગ મુદ્દે કોઈ વાત થઈ હોવાનું કહ્યું નથી.
चुनाव में मैंने दिल्ली के लोगों को 10 गारंटी दी थी। आज मैंने दिल्ली सरकार के हर संबंधित विभाग के साथ एक मीटिंग में निर्देश दिए हैं कि हर गारंटी पर काम जल्द से जल्द शुरू हो। हर गारंटी को पूरा करने के लिए अड़चनों को दूर कराना और फंड मुहैया कराना मेरी जिम्मेदारी है। pic.twitter.com/rYNROqOnKc
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 19, 2020
કેજરીવાલે કહ્યું કે, ‘અમારી નવી સરકારે કામ કરવાની શરુઆત કરી દીધી છે. એક મિનિટનો પણ સમય ગુમાવ્યા વગર અમે દિલ્હીના વિકાસ માટે 24 કલાક કામ કરી રહ્યા છીએ. અગાઉના પાંચ વર્ષ જેટલું કામ થયું છે, તેના કરતા આ વખતે વધારે કામ કરીશું. ગત વખતે મેં કોઈ મંત્રીપદ સ્વીકાર્યું નહોતું. મને લાગે છે મોનિટરિંગનું કાર્ય વધુ અગત્યનું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો