CAA વિરોધ: દિલ્હીની જામા મસ્જિદ ખાતે ઉમટી મોટી ભીડ, 7 મેટ્રો સ્ટેશન બંધ
દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીના જામિયાનગર, શાહીન બાગ, જામા મસ્જિદ ખાતે મોટી ભીડ જોવા મળી રહી છે. દિલ્હીની નજીક આવેલાં યુપીના હાપુડ જિલ્લામાં પ્રદર્શનકારીઓએ ભારે વિરોધ કર્યો હતો અને પરિસ્થિતિ વણસતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ પર વણસતા પોલીસે રેપિડ એક્સન ફોર્સ તૈનાત કરી છે. Web Stories […]
દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીના જામિયાનગર, શાહીન બાગ, જામા મસ્જિદ ખાતે મોટી ભીડ જોવા મળી રહી છે. દિલ્હીની નજીક આવેલાં યુપીના હાપુડ જિલ્લામાં પ્રદર્શનકારીઓએ ભારે વિરોધ કર્યો હતો અને પરિસ્થિતિ વણસતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ પર વણસતા પોલીસે રેપિડ એક્સન ફોર્સ તૈનાત કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : IPL 2020 : આ દિગ્ગજ ખેલાડીઓને કોઈ ટીમે ન ખરીદ્યા, 2 ગુજરાતી ખેલાડીનો પણ સમાવેશ
હાપુડ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. દિલ્હીમાં પણ નાગરિકતા સંશોધન કાનૂનને લઈને જામિયા મસ્જિદ ખાતે ભારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ પણ ત્યાં પહોંચ્યા છે. દિલ્હી પોલીસ પરિસ્થિતિ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. ચંદ્રશેખરને દિલ્હીની જામા મસ્જિદથી લઈને જંતરમંતર સુધી સરકારે વિરોધ પ્રદર્શનની અનુમતિ નથી આપી. જ્યારે દિલ્હીના સીલમપુર વિસ્તારમાં પોલીસ જવાનો માર્ચ કરી રહ્યાં છે. સવારથી પેરામિલિટ્રી ફોર્સ તૈનાત કરવામાં આવી છે. ડ્રોનથી પુરા વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે. જો કે ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદની અટકાયત કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શનના સ્થળેથી તેમને લઈ જવામાં આવ્યા છે.
#Delhi : Protest at #JamaMasjid against #CitizenshipAmendmentAct.Bhim Army Chief Chandrashekhar Azad leading the protest. Azad had been earlier denied permission for a protest march from Jama Masjid to Jantar Mantar#TV9News #CAAProtest #DelhiProtest pic.twitter.com/nBJWzpU7ax
— Tv9 Gujarati (@tv9gujarati) December 20, 2019
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
દિલ્હીમાં આ વિરોધ પ્રદર્શનના લીધે મેટ્રેોને અસર ના પડે તે માટે ચાવડી બજાર, લાલ કિલ્લા અને જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવાયા છે. આ સ્ટેશન પર ટ્રેન રોકવામાં આવી નથી રહી. દિલ્હી પોલીસના પીઆરઓ એમએસ રંધાવાએ જણાવ્યું કે જામા મસ્જિદ વિસ્તારમાં કલમ 144 લાગુ નથી. અહિંયા લોકો પોલીસને સહયોગ કરી રહ્યાં છે.