3 મહિનામાં દેશને મળશે નવા આર્મી ચિફ, આ ત્રણ નામ છે સૌથી આગળ

ભારતીય સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બરે નિવૃત થઈ રહ્યા છે. જેને લઈને તેમના ઉત્તરાધિકારી એટલે કે નવા સેના અધ્યક્ષની નિમણુકની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ બુધવારે તેની જાણકારી આપી. નવા સેના અધ્યક્ષની રેસમાં લેફ્ટનન્ટ જનરલ એમ.એમ. નરવાને, લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહ અને લેફ્ટનન્ટ જનરલ એસ.કે સૈનીના નામ સૌથી આગળ છે. તમને […]

3 મહિનામાં દેશને મળશે નવા આર્મી ચિફ, આ ત્રણ નામ છે સૌથી આગળ
Follow Us:
| Updated on: Sep 26, 2019 | 8:14 AM

ભારતીય સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બરે નિવૃત થઈ રહ્યા છે. જેને લઈને તેમના ઉત્તરાધિકારી એટલે કે નવા સેના અધ્યક્ષની નિમણુકની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ બુધવારે તેની જાણકારી આપી. નવા સેના અધ્યક્ષની રેસમાં લેફ્ટનન્ટ જનરલ એમ.એમ. નરવાને, લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહ અને લેફ્ટનન્ટ જનરલ એસ.કે સૈનીના નામ સૌથી આગળ છે.

તમને જણાવી દઈએ કે વર્તમાન સેના અધ્યક્ષ નિવૃત થયાના 4-5 મહિના પહેલા જ નવા સેના અધ્યક્ષની નિમણુક કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. નવા સેના અધ્યક્ષની નિમણુકમાં રક્ષા મંત્રાલય ખુબ જ ઓછી દખલગીરી કરે છે. નવા સેના અધ્યક્ષની નિમણુક પર છેલ્લો નિર્ણય વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી કેબિનેટની કમેટી જ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એકલા જ મંત્રી છે, જે નિમણુક કમેટીમાં સામેલ છે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પહેલા નવા સેના અધ્યક્ષની પસંદગીની જાહેરાત વર્તમાન સેના અધ્યક્ષની નિવૃતી થયા ના એક મહિના પહેલા અથવા તો પછી 45 દિવસ પહેલા થતી હતી. ત્યારે હવે નવા સેના અધ્યક્ષની નિમણુકને લઈ પ્રક્રિયા તે સમયે શરૂ કરવામાં આવી છે, જ્યારે વર્તમાન સેના અધ્યક્ષ બિપિન રાવત નિવૃત થવાના છે અને પાકિસ્તાનની સાથે ભારતના તણાવભર્યા સંબંધ છે. જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી પાકિસ્તાન ગભરાયેલુ છે અને સરહદ પર સતત ફાયરિંગ કરી રહ્યુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતના સુરક્ષા દળ સરહદ પાર પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે. પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી ઠેકાણાઓને ફરીથી સક્રિય થવાના સવાલ પર રાજનાથસિંહે કહ્યું કે દેશનું સુરક્ષા દળ પૂરી રીતે તૈયાર છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">