એક ઇંચ જમીન પર કબ્જો નહીં કરવા દે ભારતીય સેના : રાજનાથ સિંહ
દાર્જિલિંગના સુકના યુદ્ધ સ્મારકમાં શસ્ત્રપૂજા બાદ રાજનાથસિંહે ચીનને આકરો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે ભારત ઈચ્છે કે ચીન સાથે બોર્ડર પર શાંતિ સ્થાપાય અને જે તણાવ પૂર્ણ માહોલ છે તે ખતમ થાય. સાથે જ તેમણે કહ્યું કે આપણી સેના દેશની એક ઈંચ જમીન પર પણ કોઈ બીજા દેશને કબ્જો નહીં કરવા દે તેવો સેના […]
દાર્જિલિંગના સુકના યુદ્ધ સ્મારકમાં શસ્ત્રપૂજા બાદ રાજનાથસિંહે ચીનને આકરો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે ભારત ઈચ્છે કે ચીન સાથે બોર્ડર પર શાંતિ સ્થાપાય અને જે તણાવ પૂર્ણ માહોલ છે તે ખતમ થાય. સાથે જ તેમણે કહ્યું કે આપણી સેના દેશની એક ઈંચ જમીન પર પણ કોઈ બીજા દેશને કબ્જો નહીં કરવા દે તેવો સેના પર વિશ્વાસ છે. મહત્વનું છે કે રક્ષાપ્રધાન રાજનાથસિંહ હાલમાં દાર્જિલિંગ અને સિક્કિમની મુલાકાતે છે. તેમણે દાર્જિલિંગના સુકમા યુદ્ધ મેમોરિયલમાં શસ્ત્ર પૂજા કરી હતી. આ પૂજા દરમિયાન આર્મી ચીફ એમ.એમ. નરવણે પણ હાજર રહ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો