‘વાયુ’ વાવાઝોડાના સંકટમાં દરિયાકાંઠા પર વસવાટ કરતા સિંહો માટે તંત્રએ શું વ્યવસ્થા કરી છે ?
રાજયના દરિયાકિનારે વાવાઝોડાની ભીતિને પગલે તંત્ર સતર્ક થયું છે. ગીરસોમનાથમાં પણ વનવિભાગ દ્વારા સિંહોની સલામતીના પગલાં લેવાયા છે. અને વેરાવળ રેન્જના દરીયાકિનારા નજીક રહેતાં 13 જેટલાં સિંહોને સલામત અને ઊંચાણવાળી જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. આ પણ વાંચોઃ VIDEO: દ્વારકામાં ‘વાયુ’ સંકટને પગલે પ્રવાસીઓને દ્વારકા છોડવા તંત્રની સૂચના Web Stories View more SBI પાસેથી 25 […]
રાજયના દરિયાકિનારે વાવાઝોડાની ભીતિને પગલે તંત્ર સતર્ક થયું છે. ગીરસોમનાથમાં પણ વનવિભાગ દ્વારા સિંહોની સલામતીના પગલાં લેવાયા છે. અને વેરાવળ રેન્જના દરીયાકિનારા નજીક રહેતાં 13 જેટલાં સિંહોને સલામત અને ઊંચાણવાળી જગ્યા પર ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ VIDEO: દ્વારકામાં ‘વાયુ’ સંકટને પગલે પ્રવાસીઓને દ્વારકા છોડવા તંત્રની સૂચના
વાવાઝોડાની દહેશતને પગલે સાસણના કોઈપણ વિસ્તારમાં આપત્તિની પરિસ્થિતિ આવવાની શક્યતાઓ વચ્ચે સિંહોને સાસણના અન્ય વિસ્તારમાં ખસેડવા માટે તંત્ર સજ્જ થયું છે. જેને પગલે સાસણ વિસ્તારમાં તમામ સિંહના લોકેશન ટ્રેક કરવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સિંહોના સારવાર માટેની હોસ્પિટલમાં સ્ટાફને 24 કલાક હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ સાસણ વિસ્તારના તમામ સ્ટાફને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો વન સંરક્ષકને પણ સ્ટેન્ડ ટુ રહેવા સૂચના અપાઈ છે. ભારે પવન અને વરસાદની સ્થિતિમાં વૃક્ષો ધરાશાયી થાય તો તાત્કાલિક ધોરણે રાહત કામગીરી કરવા પણ વન વિભાગને સચેત રહેવા માટે કહેવાયુ છે.