મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’માં તૈનાત ગુજરાતના CRPF જવાનનું ગોળી વાગતા મોત
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે તૈનાત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કમાન્ડોનું સર્વિસ વેપનમાંથી ગોળી વાગતા મૃત્યુ થયું હતું. પોલીસ પ્રમાણે બુધવારે સાંજે અંબાણીના નિવાસ સ્થાન એન્ટિલિયા બહાર CRPFના કોન્સ્ટેબલ દેવન રામભાઈ બકોતરાની ઓટોમેટિક રાઈફલમાંથી ભૂલથી ગોળીઓ ચાલી ગઈ હતી. છાતીમાં બે ગોળી લાગ્યા બાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. Web Stories View […]
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે તૈનાત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કમાન્ડોનું સર્વિસ વેપનમાંથી ગોળી વાગતા મૃત્યુ થયું હતું. પોલીસ પ્રમાણે બુધવારે સાંજે અંબાણીના નિવાસ સ્થાન એન્ટિલિયા બહાર CRPFના કોન્સ્ટેબલ દેવન રામભાઈ બકોતરાની ઓટોમેટિક રાઈફલમાંથી ભૂલથી ગોળીઓ ચાલી ગઈ હતી. છાતીમાં બે ગોળી લાગ્યા બાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તપાસમાં બહાર આવ્યું હતું કે દેવન અથડાઈને પડી ગયો હતો, જેનાથી તેની ઓટોમેટિક રાઈફલમાંથી ગોળીઓ છૂટી ગઈ હતી. બે ગોળી તેની છાતીમાં વાગી. તેના સાથી સુરક્ષાકર્મીએ તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો. જ્યાં બુધવારે મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ગુરૂવારે ઓટોપ્સી બાદ દેવનનો મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. દેવન ગુજરાતના જૂનાગઢના રહેવાસી હતા અને 2014માં CRPFમાં સામેલ થયા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ગુજરાતના આ ધાર્મિક સ્થળોની આસપાસ ભિક્ષુકોને ભિક્ષા માંગવા પર પ્રતિબંધ