જો આવું થયું તો ભારત સરળતાથી જીતી જશે ક્રિકેટ વલ્ડૅ કપ 2019, જાણો અજિંક્ય રહાણેએ શું કહ્યું?
ભારતની ટેસ્ટ ટીમના ઉપ કપ્તાન અજિંંક્ય રહાણેએ 30મેના રોજ ઈંગ્લેન્ડથી વિશ્વ કપને લઈને એક નિવેદેન આપ્યું છે. રહાણે આ વિશ્વ કપને લઈને ભારત નહીં પણ અન્ય દેશોને પણ દાવેદાર ગણાવ્યા હતા. રહાણેએ ઈંગ્લેન્ડમાં એક સમારોહ દરમિયાન નિવેદન આપતા કહ્યું કે હું કોઈપણ એક ટીમ વિશે કહેવા નથી માગતો, ઈંગ્લેન્ડ ટીમ પણ સારી છે. ન્યૂઝીલેન્ડે પણ […]
ભારતની ટેસ્ટ ટીમના ઉપ કપ્તાન અજિંંક્ય રહાણેએ 30મેના રોજ ઈંગ્લેન્ડથી વિશ્વ કપને લઈને એક નિવેદેન આપ્યું છે. રહાણે આ વિશ્વ કપને લઈને ભારત નહીં પણ અન્ય દેશોને પણ દાવેદાર ગણાવ્યા હતા.
રહાણેએ ઈંગ્લેન્ડમાં એક સમારોહ દરમિયાન નિવેદન આપતા કહ્યું કે હું કોઈપણ એક ટીમ વિશે કહેવા નથી માગતો, ઈંગ્લેન્ડ ટીમ પણ સારી છે. ન્યૂઝીલેન્ડે પણ આઈસીસીની ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વેસ્ટ ઈન્ડિઝના મામલે હાલ કંઈપણ કહેવું મુશ્કેલ છે. તે પોતાના દિવસ હોય તો કોઈપણ ટીમને માત આપી શકે છે.
આ પણ વાંચો: સાબરકાંઠાની આ કહાનીઃ 14 વર્ષના સંદિપનો મગરે પગ પકડ્યો અને પછી આવી રીતે બચી જિંદગી
રહાણેએ વધુમાં કહ્યું કે ભારતની સૌથી મોટી તાકાત તેની બોલિંગ છે. આ ખાસિયત ટીમ ઈન્ડિયાને હીરો બનાવી શકે છે. આપણા બધા બોલરો જાણે છે તે કેવી રીતે વિકેટ લેવી. જે ટીમની પાસે વિકેટ લેનારા બોલરો હોય તેની તકો પણ વધી જાય છે. આપણી પાસે એવા બોલરો છે જે કોઈપણ પરિસ્થિતિમાં વિકેટ લઈ શકે છે.
રહાણેએ વધુમાં કહ્યું કે જો તમે શરુઆત સારી કરશો અને એ લય કાયમ રાખશો તો ફાયદો જરુર મળશે. તમારે આખી ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવું પડશે. આ ટૂર્નામેન્ટમાં કોઈપણ ટીમને હળવાશથી લઈ શકાય તેમ નથી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]