લોકડાઉનનું લોકોએ પાલન ના કર્યું તો હવે મહારાષ્ટ્રમાં લાગુ થશે કર્ફ્યૂ, જુઓ VIDEO
કોરોના વાઈરસને પગલે મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં આજ રાતથી કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 31 માર્ચ સુધી ઉદ્ધવ ઠાકરે સરકારે કર્ફ્યૂ લગાવી દીધો છે. મહારાષ્ટ્રને સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું હતું પણ કેટલાક લોકો લોકડાઉનને ગંભીરતાથી ન લેતા સરકારે કર્ફ્યૂનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર રાજ્યની સીમાઓ સીલ કરી દેવામાં […]
કોરોના વાઈરસને પગલે મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં આજ રાતથી કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 31 માર્ચ સુધી ઉદ્ધવ ઠાકરે સરકારે કર્ફ્યૂ લગાવી દીધો છે. મહારાષ્ટ્રને સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું હતું પણ કેટલાક લોકો લોકડાઉનને ગંભીરતાથી ન લેતા સરકારે કર્ફ્યૂનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર રાજ્યની સીમાઓ સીલ કરી દેવામાં આવી છે.
આ સિવાય તમામ ટ્રેન, લોકલ, બસ, વિમાન સેવા બંધ રહેશે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસનો સતત આંક વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 89 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 15 નવા કેસ સામે આવ્યા હતા અને તેના લીધે સરકારે કડક વલણ અપનાવ્યું છે. મહારાષ્ટ્રમાં આજે પણ કોરોનાથી એકનું મોત થયું હતું. કુલ ત્રણના મોત થવાથી પરિસ્થિતિ વિકટ બની છે. જો 5 લોકો એકઠા થશે તો પોલીસ કરશે કડક કાર્યવાહી કરશે અને આ દરમિયાન લોકોને જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે જ પરવાનગી આપવામાં આવી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]