દેશમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો 20 થયો, પોઝિટિવ કેસની સંખ્યા 830થી વધુ નોંધાઈ
દેશભરમાં લાગુ થયેલા 21 દિવસના લૉકડાઉનનો આજે ચોથો દિવસ છે. આ સાથે જ કોરોના વાઇરસનો ભારતમાં પ્રકોપ વધી રહ્યો છે. કોરોનાના દર્દીઓનો આંકડો ભારતમાં 830ને પણ પાર કરી ગયો છે. તો અત્યાર સુધી ભારતમાં કોરોનાના 20 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાથી પીડિત 66 દર્દીઓ સાજા થઈને ઘરે પરત પણ ફરી ચૂક્યા છે. […]
દેશભરમાં લાગુ થયેલા 21 દિવસના લૉકડાઉનનો આજે ચોથો દિવસ છે. આ સાથે જ કોરોના વાઇરસનો ભારતમાં પ્રકોપ વધી રહ્યો છે. કોરોનાના દર્દીઓનો આંકડો ભારતમાં 830ને પણ પાર કરી ગયો છે. તો અત્યાર સુધી ભારતમાં કોરોનાના 20 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાથી પીડિત 66 દર્દીઓ સાજા થઈને ઘરે પરત પણ ફરી ચૂક્યા છે.
આ પણ વાંચો: કોરોના વાઈરસ: દુનિયાભરમાં 5,96,700 લોકો સંક્રમિત, 27,352થી વધુ લોકોના મોત
બીજી બાજુ લૉકડાઉનના કારણે શ્રમિક અને ગરીબ વર્ગને ભારે હાલાકી પડી રહી છે. ગુજરાત અને દેશભરમાં શ્રમિકોએ પોતાના વતન તરફ દોટ મૂકી છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે નોઇડામાં આજથી આવશ્યક ચીજવસ્તુઓની ડોર ટુ ડોર ડિલિવરી કરવામાં આવશે. મહત્વનું છે કે ભારતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત એવા મહારાષ્ટ્રમાં સંક્રમિત લોકોનો આંકડો 147 થઈ ગયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો