મહારાષ્ટ્રમાં કોરોનાના 31 પોઝિટીવ કેસ, રાજ્ય સરકારે લાગુ કરી કલમ 144
દુનિયાભરમાં 5 હજારથી વધારે લોકોના મોત કોરોના વાઈરસના લીધે થયા છે. કોરોના વાઈરસના ભારતમાં કેસ વધી રહ્યાં છે. દેશમાં 2 લોકોના મોત નીપજી ચૂક્યાં છે જ્યારે 23 નવા કેસ પણ સામે આવ્યા છે. આમ કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા 107 થઈ ચુકી છે. જેમાં 17 વિદેશી નાગરિકો પણ સામેલ છે. કોરોનાને નેશનલ ડિઝાસ્ટર જાહેર કરવામાં આવ્યો […]
દુનિયાભરમાં 5 હજારથી વધારે લોકોના મોત કોરોના વાઈરસના લીધે થયા છે. કોરોના વાઈરસના ભારતમાં કેસ વધી રહ્યાં છે. દેશમાં 2 લોકોના મોત નીપજી ચૂક્યાં છે જ્યારે 23 નવા કેસ પણ સામે આવ્યા છે. આમ કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા 107 થઈ ચુકી છે. જેમાં 17 વિદેશી નાગરિકો પણ સામેલ છે. કોરોનાને નેશનલ ડિઝાસ્ટર જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : કોરોના વાઈરસ : ગુજરાત સરકારે જે નિર્ણય લીધો તેના વિશે તમારે જાણવું જરુરી છે
મુંબઈની વાત કરીએ તો કોરોનોના ઝડપથી વધી રહ્યાં છે. દેશના તમામ રાજ્યો કરતાં કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મુંબઈમાં પર્યટકો માટે 144ની કલમ લગાવવામાં આવી છે. જેના લીધે એકસાથે ટોળું બનાવીને પર્યટકો મુંબઈ કે મહારાષ્ટ્ર ફરી શકશે નહીં.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો