દિલ્હીમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરી ધાર્મિક કાર્યક્રમ યોજાયો, નોંધાશે પોલીસ ફરિયાદ
દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોઈપણ પ્રકારના ધાર્મિક કે સાંસ્કૃતિક આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. લોકડાઉનની સ્થિતિ છે અને આ સમયે દિલ્હીમાં નિઝામુદ્દીનમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પોલીસે જાણકારી આપી કે અંદાજે 300થી 400 લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આમ કલમ 144નું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને તેના લીધે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે […]
દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોઈપણ પ્રકારના ધાર્મિક કે સાંસ્કૃતિક આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. લોકડાઉનની સ્થિતિ છે અને આ સમયે દિલ્હીમાં નિઝામુદ્દીનમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પોલીસે જાણકારી આપી કે અંદાજે 300થી 400 લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આમ કલમ 144નું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને તેના લીધે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે છે.
પોલીસ અધિકારીઓએ જાણકારી આપી કે જ્યારે અમને ખબર પડી કે આવું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમને લોકડાઉની વિવિધ કલમ અનુસાર નોટિસ પાઠવી છે. આ આયોજનમાં કોરોના વાઈરસના લક્ષણ કેટલાક લોકોમાં જોવા મળ્યા તો અમુક લોકો વિદેશથી પણ આવ્યા હતા અને તેઓએ પણ હાજરી આપી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કેજરીવાલે આપ્યો પોલીસ ફરિયાદનો આદેશ
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આ ધાર્મિક આયોજનને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. 300થી 400 લોકોએ આ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી અને તેમાંથી 163 લોકો કોરોના વાઈરસના સંક્રમણમાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. દિલ્હીની અલગ અલગ હોસ્પિટલમાં તમામ લોકોને લઈ જવામાં આવ્યા છે. સરકારે કહ્યું કે આયોજનકર્તાની સામે કડક કાર્યવાહી કરીને પગલાં ભરીશું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]