Coronavirus: ભારત સરકારે જાહેર કરી એડિશનલ એડવાઈઝરી, યુરોપિયન દેશના પ્રવાસીઓ પર લગાવ્યો પ્રતિબંધ
કોરોના વાઈરસને (Coronavirus) લઈને દુનિયાભરમાં અત્યાર સુધીમાં 7 હજારથી વધુ લોકોનો ભોગ લોવાયો છે અને તેનો પ્રકોપ સતત વધતો જાય છે. જેને લઈને ભારત સરકારે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો આજે વાણી પર રાખે સંયમ, નહીં તો થઈ શકે છે કોઈ મોટું નુક્સાન Web Stories View more […]
કોરોના વાઈરસને (Coronavirus) લઈને દુનિયાભરમાં અત્યાર સુધીમાં 7 હજારથી વધુ લોકોનો ભોગ લોવાયો છે અને તેનો પ્રકોપ સતત વધતો જાય છે. જેને લઈને ભારત સરકારે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે.
આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો આજે વાણી પર રાખે સંયમ, નહીં તો થઈ શકે છે કોઈ મોટું નુક્સાન
યૂરોપિયન યુનિયન, તુર્કી અને બ્રિટનથી ભારત આવનારા પ્રવાસીઓ પર 18 માર્ચથી રોક લગાવવામાં આવશે. 18 માર્ચની મધ્યરાત્રિથી કતાર (Qatar), યુએઈ (UAE), ઓમાન (Oman) અને કુવૈતના મુસાફરોને 14 દિવસની ક્યુરેન્ટાઇન સમય ફરજિયાત પસાર કરવો પડશે. જ્યારે યુરોપિયન દેશો, યુરોપિયન મુક્ત વેપાર સંગઠન (European Free Trade Association), તુર્કી (Turkey) અને યુનાઇટેડ કિંગડમ (UK) થી ભારત આવતા મુસાફરો પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈ પણ એરલાઇન આ દેશોમાં મુસાફરોને તેમને ભારત નહીં લાવી શકે. આ તમામ આદેશ 31 માર્ચ સુધી લાગુ રહેશે. બાદમાં તે અંગે વધુ સમીક્ષા કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો